'RRR'એ રૂ. 1155 કરોડની કમાણી કરતા જ રામ ચરણની ફી ડબલ! હવે માત્ર એક ફિલ્મના લે છે આટલા કરોડ

'RRR'એ રૂ. 1155 કરોડની કમાણી કરતા જ રામ ચરણની ફી ડબલ! હવે માત્ર એક ફિલ્મના લે છે આટલા કરોડ

તેલુગુ ફિલ્મ RRRની સફળતા બાદ રામ ચરણની માંગ વધી

તેલુગુ ફિલ્મ RRRની સફળતા બાદ રામ ચરણની માંગ વધી રહી છે. રિપોર્ટસ મુજબ, તેમની ડિમાન્ડ વધી છે, પરંતુ તેમણે પોતાની ફીમાં પણ વધારો કર્યો છે. હવે તેઓ આ મામલે અક્ષય કુમાર, પ્રભાસ અને અન્ય મોટા સેલિબ્રિટીઓની ક્લબમાં સામેલ થઇ ગયા છે. મજાની વાત એ છે કે જો આ ફીની તુલના તેમની પહેલાની ફિલ્મ RRR માટેના પગારથી કરીએ તો આ ડબલથી પણ વધુ છે.

RRR માટે મળ્યાં હતા આટલા કરોડ

રિપોર્ટસ મુજબ, રામ ચરણને RRR માટે લગભગ 45 કરોડ રૂપિયા આપ્યા હતા. જણાવાઈ રહ્યું છે કે ફિલ્મ માટે તેમણે જે મહેનત કરી અને જે સમય આપ્યો છે, તેની દ્રષ્ટિએ જે રકમ તેમને મળી, તેઓ તે ડિઝર્વ કરે છે. RRRની સફળતા બાદ રામ ચરણ પોતાની આગામી ફિલ્મની શૂટિંગ પર લાગી ગયા છે, જેને શંકર ડાયરેક્ટ કરી રહ્યાં છે અને તેની સામે તેમાં કિયારા અડવાણી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માટે તેમને જે ફી તરીકે રકમ મળી રહી છે, તે ચોંકાવનારી છે.

હવે એક ફિલ્મ માટે આ છે ફી

ટ્રેકટૉલીવુડ નામની એક વેબસાઈટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે રામ ચરણે પોતાની ફી વધારી દીધી છે અને તેમણે અપકમિંગ ફિલ્મો માટે 100 કરોડ ચાર્જ તરીકે લેવાના શરૂ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શંકરની ફિલ્મ પણ આ અંતર્ગત હશે. એટલું જ નહીં, દાવો એવો પણ કરાઈ રહ્યો છે કે રામ ચરણની આટલી મોટી ડિમાન્ડને જોઇને તેમની ફિલ્મોનુ બજેટ વધી રહ્યું છે, પરંતુ નિર્માતાને તેનાથી કોઈ વાંધો નથી. રિપોર્ટસ મુજબ, રામ ચરણ શંકરની ફિલ્મ સિવાય બુચ્ચી બાબુની પણ આગામી ફિલ્મ કરી રહ્યાં છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow