રોહિત નક્કી કરશે ટેસ્ટ ટીમમાં નવો વાઇસ કેપ્ટન

રોહિત નક્કી કરશે ટેસ્ટ ટીમમાં નવો વાઇસ કેપ્ટન

ભારતની ઓસ્ટ્રેલિયા સામે નવી જાહેર થયેલી ટેસ્ટ ટીમમાં કોઈ ખેલાડીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. ઓપનિંગ બેટર કેએલ રાહુલ હવે ખેલાડી તરીકે ટીમમાં હશે. આવી સ્થિતિમાં રાહુલની પ્લેઇંગ-11માં રહેવાની સંભાવના પણ ઓછી થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેપ્ટન રોહિત શર્મા ટીમના નવા વાઇસ કેપ્ટનની પસંદગી કરશે.

કેએલ રાહુલને ડિસેમ્બર 2021માં ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. રાહુલે 3 વખત ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. 2માં જીત અને એકમાં હાર મળી હતી પરંતુ રાહુલ આ ટેસ્ટમાં પોતાની બેટિંગથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. છેલ્લી 9 ઇનિંગ્સમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 23 રન હતો. આ દરમિયાન તેમણે 8, 12, 10, 22, 23, 10, 2, 20, 17 અને 1 રનનો સ્કોર બનાવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેટિંગમાં તેમના ખરાબ પ્રદર્શનને જોતા સિલેક્શન કમિટીએ તેમની પાસેથી વાઇસ કેપ્ટનનું પદ લઈ લીધું છે. જેથી ઓપનિંગ પોઝિશન પર રોહિત શર્માની સાથે અન્ય કોઈને તક આપી શકાય.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની 2 મેચ પૂરી થઈ ગઈ છે. જેમાં રાહુલે 20, 17 અને 1 રનનો સ્કોર કર્યા હતા. ત્રીજી ટેસ્ટ 1 માર્ચે અને ચોથી ટેસ્ટ 8 માર્ચે રમાશે. જો રાહુલની પ્લેઈંગ-11માં પસંદગી નહીં થાય તો તેની જગ્યાએ શુભમન ગિલને ઓપનિંગ કરાવવામાં આવી શકે છે, કારણ કે ભારતની વર્તમાન ટીમમાં માત્ર ગિલને જ ટેસ્ટમાં ઓપનિંગ કરવાનો અનુભવ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow