રાયગઢમાં ખડક પડતા 5ના મોત, 127 કાટમાળ નીચે દટાયા

રાયગઢમાં ખડક પડતા 5ના મોત, 127 કાટમાળ નીચે દટાયા

મહારાષ્ટ્રના રાયગઢમાં ગઈરાત્રે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં લગભગ 40 મકાનો ધરાશાયી થયા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. 127 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે.

ઈરશાલવાડી ગામમાં આ લોકોને બચાવવા માટે NDRFની ટીમો સ્થળ પર તહેનાત છે. રાહત અને પુનર્વસન મંત્રી અનિલ પાટીલે કહ્યું છે કે જો જરૂર પડશે તો ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવશે.

આ દિવસોમાં રાજ્યના 4 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. રાયગઢ જિલ્લામાં 6માંથી 3 નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. જેમાં અંબા, સાવિત્રી અને પાતાળગંગાનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું કે કુંડલિકા, ગઢી અને ઉલ્હાસ નદીઓનું જળસ્તર ભયજનક નિશાનની નજીક પહોંચી ગયું છે. પૂર જેવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં NDRFની 12 ટીમો તહેનાત કરવામાં આવી છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow