રિશદ પ્રેમજીને FY-23માં 7.87 કરોડનું કુલ વળતર મળ્યું!

રિશદ પ્રેમજીને FY-23માં 7.87 કરોડનું કુલ વળતર મળ્યું!

વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજીએ માર્ચ 2023માં પૂરા થતા નાણાકીય વર્ષ માટે લગભગ $1 મિલિયન એટલે કે રૂ. 7.87 કરોડનું કુલ વળતર લીધું છે. ગયા નાણાકીય વર્ષમાં તેમના રૂ. 5.05 કરોડના મહેનતાણા કરતાં આ લગભગ 50% ઓછું છે. આ માહિતી વિપ્રોએ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને ફોર્મ 20-એફમાં ફાઇલ કરી છે.

રિષદ પ્રેમજીએ બીજી વખત ઓછું વળતર લીધું
આ બીજી વખત છે જ્યારે રિષદ પ્રેમજીએ ઓછું વળતર લીધું છે. અગાઉ, રિષદ પ્રેમજીએ કોરોના રોગચાળા દરમિયાન તેમના વળતરમાં 31% ઘટાડો કર્યો હતો. ત્યારબાદ નાણાકીય વર્ષ 2019-20માં તેણે કુલ 0.68 મિલિયન ડોલર એટલે કે રૂ. 5.62 કરોડનું વળતર લીધું. અગાઉ નાણાકીય વર્ષ 2018-19માં, તેમને $0.98 મિલિયન એટલે કે રૂ. 8.11 કરોડનું વળતર મળ્યું હતું.

વળતર ઉપરાંત, રિષદ પ્રેમજી ઇન્ક્રીમેન્ટલ કોન્સોલિડેટેડ ચોખ્ખા નફા પર 0.35%ના દરે કમિશન મેળવવા માટે હકદાર છે. જોકે, FY2023 માટે કંપનીનો ઇન્ક્રીમેન્ટલ કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નકારાત્મક હતો, તેથી કંપનીએ FY2023 માટે કોઈ કમિશન નહીં ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

સીએફઓ જતીન પ્રવિણચંદ્ર દલાલને પણ ઓછું વળતર મળ્યું
માત્ર રિષદ પ્રેમજી જ નહીં, વિપ્રોના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) જતિન પ્રવિણચંદ્ર દલાલનું વળતર પણ ઘટી ગયું છે. વર્ષ 2022-23 માટે, તેમને ગયા વર્ષના રૂ. 13.24 કરોડ ($1.6 મિલિયન)ની સરખામણીએ કુલ રૂ. 9.10 કરોડ ($1.1 મિલિયન)નું વળતર આપવામાં આવ્યું છે, જે લગભગ 32% ઓછું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow