રાજકોટમાં રેવન્યુનું કામ કરતા વકીલો સાયબર ફ્રોડનો શિકાર

રાજકોટમાં રેવન્યુનું કામ કરતા વકીલો સાયબર ફ્રોડનો શિકાર

શહેરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા અનેક વકીલના ખાતામાંથી ગઠિયા નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. રેવન્યુ બાર એસો. દ્વારા રજિસ્ટ્રાર, પોલીસ કમિશનર સહિતનાઓને આ અંગે રજૂઆત કરી હતી. બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવતા અને સાયબર ફ્રોડથી રૂ.10 હજાર ગુમાવનાર રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ ભાવિનભાઇ મગનભાઇ મારડિયાએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમના ઉપરાંત અન્ય 18 વકીલોના બેંક ખાતામાંથી કુલ રૂ.3,12,485ની રકમ ઉપડી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. સાયબર ફ્રોડનો 35થી વધુ વકીલ ભોગ બન્યા છે.

કોના કેટલા રૂપિયા ગયા

એડવોકેટ હિરેનભાઇ વઘાસિયાના 20 હજાર, આરદીપભાઇ બુસા રૂ.10 હજાર, હિરેન્દ્રભાઇ મકવાણા 9,990, નિલેશભાઇ રાણપરા 19,600, સત્યેન્દ્રભાઇ જૈન રૂ.8,200, પ્રશાંતભાઇ જૈન રૂ.30 હજાર, પ્રશાંત વાઢેર રૂ.9,990, જયપ્રકાશભાઇ ફુલારા રૂ.19,985, હરેશ કુકડિયા રૂ.5100, મયૂરભાઇ ફિચડિયા રૂ.48,440, દીપકભાઇ ભોજાણી રૂ.25 હજાર, ચિરાગભાઇ ચૌહાણ રૂ. 2200, વિપુલભાઇ રામાણી રૂ.18,500, અમિત શિંગાળા રૂ.5 હજાર, અભિષેકભાઇ વેકરિયા રૂ.10 હજાર, કલ્પેશભાઇ વેકરિયા રૂ.29,970, જિગ્નેશભાઇ યાદવ રૂ.9,990 અને અમનભાઇ દોશીના રૂ.19,850 ઉપડી ગયા છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow