યુક્રેનના ખેરસનમાંથી રશિયન સેનાની પીછેહઠ

યુક્રેનના ખેરસનમાંથી રશિયન સેનાની પીછેહઠ

રશિયાએ યુક્રેનના ખેરસનમાંથી પોતાના સૈનિકોને હટાવવાની જાહેરાત કરી છે. રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ બુધવારે તેમના સૈનિકોને ખેરસન શહેરમાં નીપ્રો નદીમાંથી પાછા હટવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ખેરસન શહેર યુદ્ધ દરમિયાન રશિયાના કબજામાં હતું, જેને યુક્રેને પરત લેવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

સંરક્ષણ પ્રધાન શોઇગુએ કહ્યું કે તેમણે ખેરસન શહેર પર રક્ષણાત્મક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે અમારા સૈનિકોના જીવ બચાવીશું અને નદીના પશ્ચિમ કિનારે સૈનિકોને તૈનાત કરવા તે અર્થહીન હશે. તેમણે કહ્યું કે આ સૈનિકોને અન્ય કોઈપણ મોરચે તૈનાત કરી શકાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કહેવામાં આવ્યું હતું કે, પુતિનના શિખર સંમેલનમાં ભાગ લેવાની સંભાવના ઓછી છે. ત્યાર પછી, હવે આ સંભાવનાઓ પર વિરામ લાગી ગયો છે. અહેવાલો અનુસાર, ક્રેમલિને સ્પષ્ટ કર્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયા પુતિનના સ્થાને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને મોકલશે.

અગાઉ ખેરસન નગર તરફ જતા મુખ્ય માર્ગ પરનો પુલ ધરાશાયી થયો હતો. જો કે આ પુલને કોણે ઉડાવ્યો, તે હજુ સ્પષ્ટ થયું નથી. દરમિયાન, રશિયા દ્વારા નિયુક્ત વરિષ્ઠ વહીવટી અધિકારી કિરીલ સ્ટ્રેમુસોવનું ખેરસનમાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. અકસ્માતની વધુ વિગતો આપવામાં આવી નથી. ખેરસન શહેરની પૂર્વમાં ડીનીપ્રો નદીની ઉપનદી ડેરિવકા બ્રિજની તસવીરો નાશ પામી છે, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે તે યુક્રેનિયન સૈન્ય દ્વારા ઉડાડવામાં આવ્યો હતો કે રશિયન સૈન્ય દ્વારા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow