ચહેરા પરના જુના ડાઘ દૂર કરવા માટે આ ખાસ ઘરગથ્થુ ઉપચાર અપનાવો

ચહેરા પરના જુના ડાઘ દૂર કરવા માટે તમે આ દેશી ઉપાયો અજમાવી શકો છો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે.
દરેક વ્યક્તિ પોતાની સ્કિનની ખાસ કેર કરે છે. એમાં મહિલાઓ પોતાના ચહેરાની ખાસ રીતે સાર સંભાળ રાખતી હોય છે. અમુક વખત ચહેરા ઉપર ઘણી બધી સમસ્યાઓ થઈ જતી હોય છે. ઘણી વખત પણ થઈ જતા હોય છે. સિમ્પલ સારા થઈ જાય ત્યારબાદ તેના નિશાન રહી જાય છે. અન્ય કોઈ કારણોસર પણ ચહેરા ઉપર ડાઘ થઈ જતા હોય છે. આ ડાઘને દૂર કરવા ઘણા જ મુશ્કેલ હોય છે. પણ આ ડાઘને દૂર કરવા અશક્ય નથી તમે અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને ડાઘને દૂર કરી શકો છો. આના માટે અમે તમને અમુક ખાસ ઉપાયો બતાવીશું.
ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે ટામેટા નો રસ ખૂબ જ ઉપયોગી છે. આના માટે ટામેટાનો રસ કાઢી તેમાં થોડા લીંબુના રસના ટીપા નાખવા જોઈએ. હવે આ મિશ્રણને ડાઘવાળા એરિયા ઉપર લગાવો. 15 થી 20 મિનિટ સુધી ચેહરા પર જ રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ચહેરાને જોઈ લો. આવું રેગ્યુલરલી કરવાથી તમારા ડાઘ ધીમે ધીમે દૂર થઈ જશે. આ સિવાય તમે હળદર અને દહીંનો પણ ઉપયોગ કરી શકો છો આના માટે બે ચમચી દહીં લઈ તેમાં થોડી હળદર એડ કરો. હવે આ મિશ્રણને ડાઘવાળા એરીયા ઉપર લગાવો 15-20 મિનિટ સુધી આ મિશ્રણને ચહેરા ઉપર રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી સાફ કરી લો. આ ઉપાય થોડા સમય સુધી કરશો તો તમારા ડાઘ ધબ્બા દૂર થશે.