શિયાળામાં ચહેરા પરની કરચલીઓનો રામબાણ ઈલાજ, ફૉલો કરો આ ઘરગથ્થુ ટીપ્સ

શિયાળામાં ચહેરા પરની કરચલીઓનો રામબાણ ઈલાજ, ફૉલો કરો આ ઘરગથ્થુ ટીપ્સ

ચહેરા પરની કરચલીઓમાંથી છૂટકારો મેળવવા શું કરશો?

આજકાલ ઉંમર વધતા પહેલા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. ખોટુ ખાનપાન, તણાવ વગેરેને કારણે આ સમસ્યા થાય છે. એવામાં સ્કિનની યોગ્ય રીતે સારસંભાળ રાખવામાં આવે તો તમે ચહેરા પરની કરચલીઓમાંથી છૂટકારો મેળવી શકો છો. ઘણા લોકો કરચલીઓને ઘટાડવા માટે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, જેનાથી સ્કિન ડેમેજ થઇ શકે છે. કરચલીઓમાંથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલુ ઉપાય અપનાવી શકો છો.

ચણા દાળ અને એલોવેરા

ચહેરાની કરચલીઓમાંથી રાહત મેળવવા માટે ચણાની દાળના પેસ્ટમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ સ્વચ્છ પાણીથી ધોઈ નાખો.

કેળાની પેસ્ટ

કેળા આરોગ્યની સાથે-સાથે સ્કિન માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેના માટે પાકેલા કેળાના ટુકડા કાપી લો. હવે તેને સારી રીતે મેશ કરો. આ પેસ્ટથી ચહેરા પર મસાજ કરો. 10 મિનિટ બાદ પાણીથી ધોઈ નાખો.

ઈંડાની જરદી અને ટામેટા

ઈંડાની જરદીમાં ટામેટાનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. થોડા સમય બાદ પાણીથી ધોઈ નાખો. જેનાથી કરચલીઓ ઓછી થવામાં મદદ મળી શકે છે.

કાકડીનુ જ્યુસ લગાવો

કાકડી સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. તમે કાકડીના જ્યુસને ચહેરા પર લગાવી શકો છો. તમે ઈચ્છો તો કાકડી અને ટામેટાના જ્યુસને મિક્સ કરીને પણ સ્કિન પર લગાવી શકો છો.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow