આઇબી, રૉનો રિપોર્ટ જાહેર કરવો સુરક્ષા માટે જોખમી : રિજીજુ

આઇબી, રૉનો રિપોર્ટ જાહેર કરવો સુરક્ષા માટે જોખમી : રિજીજુ

જજોની નિયુક્તિને લઇને બનાવાયેલા કોલેજિયમને લઇને સુપ્રીમકોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે તકરાર જારી છે. દરમિયાન કેન્દ્રીય કાયદામંત્રી કિરન રિજિજુએ મંગળવારે દેશની ગુપ્તચર એજન્સીના રિપોર્ટ્સને જાહેર કરવા અંગે કહ્યું કે તે દેશની સુરક્ષા માટે જોખમ છે. રિજિજુએ કહ્યું કે ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના સંવેદનશીલ રિપોર્ટના કેટલાક હિસ્સાને સુપ્રીમકોર્ટ કોલેજિયમે જાહેર ડોમેનમાં ઉમેર્યા છે.

ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ સાર્વજનિક કરાય છે તો ગુપ્તચર એજન્સીના અધિકારીઓ ભવિષ્યમાં બે વાર વિચારશે. આ ગંભીર ચિંતાનો વિષય છે. બીજી તરફ, રિજિજુની ટિપ્પણીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખોટી ગણાવી હતી અને કહ્યું કે કેન્દ્ર સરકાર હવે ન્યાયપાલિકા પર વર્ચસ્વ ઇચ્છે છે.

સમલૈંગિક જજને લઇને રૉના રિપોર્ટનો હિસ્સો સામે આવ્યો હતો
રિજિજુએ જે મામલે પ્રતિક્રિયા આપી છે, તે સમલૈંગિક વકીલ સૌરભ કૃપાલ સાથે જોડાયેલો છે. તેમને સુપ્રીમકોર્ટ કોલેજિયમ દિલ્હી હાઇકોર્ટમાં નિયુક્ત કરવા માંગે છે પરંતુ તેની સામે કેન્દ્રને વાંધો હતો. કેન્દ્ર સરકારે તેના માટે ગુપ્તચર એજન્સીના રિપોર્ટનો હવાલો આપ્યો હતો. પરંતુ કોલેજિયમે રાૅના વાંધાને ફગાવ્યો હતો. સુપ્રીમકોર્ટે પહેલી વાર જજો વિશે વ્યક્ત કરાયેલા કેન્દ્રના વાંધા તેમજ રૉ-સીબીઆઇના રિપોર્ટ્સને જાહેર કર્યા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow