સોશિયલ મીડિયા પર શેર્સની ટિપ્સ આપનારા પર લગામ

સોશિયલ મીડિયા પર શેર્સની ટિપ્સ આપનારા પર લગામ

માર્કેટ નિયામક સેબીએ અનરજીસ્ટર્ડ અને સોશિયલ મીડિયા પર સ્ટોક્સની ટિપ્સ આપનાર કંપનીઓ વિરુદ્ધ રેગ્યુલેશન લાવવાની કવાયત હાથ ધરી છે. સેબી તેના પર ડિસ્કશન પેપર રજૂ કરશે. નિયામક તેના પર શેરધારકો પાસેથી સૂચનો લેશે. ત્યારબાદ સેબી માર્ગદર્શિકા જારી કરશે. સેબીના હોલ ટાઇમ મેમ્બર અનંત નારાયણે શુક્રવારે જાણકારી આપી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ શેર કરવામાં આવીત દરેક માહિતી હંમેશા વિશ્વસનીય હોતી નથી અને આ પ્રકારના પ્લેટફોર્મ્સ પર શેર કરાતી જાણકારી હંમેશા ભાવનાઓ, અફવાઓ તેમજ ખોટી માહિતીથી પ્રભાવિત હોય છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો પાસે સ્ટોક માર્કેટને લઇને કોઇપણ જાતની પ્રોફેશનલ આવડત, અનુભવ હોતો નથી અને તેઓની સલાહ માત્ર મર્યાદિતી માહિતી અને પૂર્વગ્રહ આધારિત દૃષ્ટિકોણ આધારિત હોય છે. એટલે જ સોશિયલ મીડિયા પર અપાતી ટિપ્સને લઇને સતર્ક રહેવું જરૂરી છે તેમજ રિસર્ચ સાથે રોકાણ કરવું હિતાવહ છે.

રજીસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સની બેઠકને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક ચાલાક લોકો પોતાના બિઝનેસ આગળ ધપાવવા માટે પોતાના સેબી રજીસ્ટ્રેશનો દૂરુપયોગ કરી રહ્યાં છે અને નિયામક તરીકે તેવું થાય એવું અમે ઇચ્છતા નથી. ટૂંક સમયમાં જ અમે આ મુદ્દે પ્રભાવી ઉપાયોને લઇને એક ડિસ્કશન પેપર લાવીશું. તેના પર માર્કેટ પાર્ટિસેપેંટ તેમજ અન્ય શેરધારકો પાસેથી ઇનપુટ બાદ આવા લોકો પર લગામ લગાવવા માટેના દિશાનિર્દેશ જારી કરાશે. અનેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુંઅસર્સ લાઇસન્સ વગર સ્ટોક્સમાં રોકાણ માટેની સલાહ આપે છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow