નવજાત શિશુઓ સાથે નિયમિત વાતચીત કરવાથી ભાષા તેમજ મગજના વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે

નવજાત શિશુઓ સાથે નિયમિત વાતચીત કરવાથી ભાષા તેમજ મગજના વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે

અમેરિકામાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે નવજાત શિશુનાં માતા-પિતા અથવા સંભાળ રાખનારાઓ જેટલી વધુ વાતચીત કરશે તેટલી જ ઝડપથી શિશુના મગજનો વિકાસ થશે. ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધકોની ટીમને એમઆરઆઈ અને ઑડિયો રેકોર્ડિંગના માધ્યમથી અભ્યાસમાં જાણવ્યા મળ્યું છે કે શિશુઓ સાથે વાત કરવાથી મગજનો વિકાસ થાય છે, જે આગળ જતાં તેમની ભાષા પણ વધુ કુશળ બને છે.

રિસર્ચમાં સામેલ આસિસ્ટન્ટ પ્રોફેસર મેઘન સ્વાન્સને કહ્યું હતું કે અભ્યાસમાં અમે એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે જે બાળકો વધુ સાંભળે છે, તેમનું ભાષા કૌશલ્ય કેવી રીતે સુધરે છે અને કઈ પ્રક્રિયા તેમના માટે યોગ્ય છે. ડેવલપમેન્ટલ કોગ્નિટિવ ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં પ્રો. સ્વાન્સનનું કહેવું છે કે માતા-પિતાના સંવાદથી મગજની અંદર માહિતી પ્રક્રિયા કરતા વિવિધ ગ્રે મેટરનાં ક્ષેત્રો વચ્ચે સંવાદને સુગમ બનાવનાર વાઇટ મેટર વિકસિત થાય છે. સ્વાન્સને જણાવ્યું હતું કે અમે ભાષાના વિકાસ પહેલાં અને પછી મગજના વિકાસનો અભ્યાસ કરવા માગતા હતા. ઘરનું વાતાવરણ, ખાસ કરીને સંભાળ રાખનારાઓની વાતચીતથી ભાષાના વિકાસ પર સીધી અસર કરે છે. મનોવિજ્ઞાનીઓના મુજબ, બાળકોના મગજમાં શ્વેત પદાર્થનો વિકાસ એ ધીમી પ્રક્રિયા છે, પરંતુ જેમ તેઓ બોલવાનું શરૂ કરે છે, તેમની ભાષા અગાઉના સંવાદ મુજબ વધુ સારી બને છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow