લાલ કે લીલું મરચું? જાણો સ્વાસ્થ્ય માટે કયું સૌથી વધારે ફાયદાકારક, હકીકત જાણીને થઇ જશો હેરાન

લાલ કે લીલું મરચું? જાણો સ્વાસ્થ્ય માટે કયું સૌથી વધારે ફાયદાકારક, હકીકત જાણીને થઇ જશો હેરાન

ભારતીય ભોજનનો સ્વાદ મરચા વિનો અધૂરો માનવામાં આવે છે. ફરી તે લીલુ મરચુ હોય કે લાલ હોય. ભોજનમાં સ્વાદ અને તિખાશ વધારવા માટે મરચાનો ઉપયોગ કરે છે.  

જો કે સ્વાસ્થ્ની દ્રષ્ટિએ જોઇએ તો ઘણા લોકો માટે છે કે લીલા મરચાની સરખામણીમાં લાલ મરચુ સ્વાસ્થ્ય માટે વધુ નુકશાનકારક છે. તો આવો જાણીએ કે સ્વાસ્થ્ય માટે લાલ કે લીલુ ક્યુ મરચુ વધુ સારુ કહેવાય...

ભારતીય, ચાઇનીઝ અને મેક્સિકન ભોજનમાં મરચાનો ઉપયોગ જરુરથી થાય છે. આ એક એવો મસાલો છે જે સ્વાદની સાથે ભોજનમાં તિખાશ લાવવાનું કામ કરે છે.  

ઘણા લોકો ભોજનમાં લાલ મરચાને વધારે પસંદ કરે છે તો ઘણાને લીલા મરચાના ચાહક હોય છે. હેલ્થ રિપોર્ટ અનુસાર, આ બંને મરચામાં કેપ્સિકમ અને ટામેટા પ્લાન્ટની ફેમિલીમાંથી આવે છે, જેની ફ્લેવર હોટ હોય છે.  

લાલ મરચાની વાત કરવામાં આવે તો એક ચમચી લાલ મરચામાં કેલરી 6, વોટર 88 ટકા, પ્રોટીન 0.3 ગ્રામ, કાર્બ 1.3 ગ્રામ, શુગર 0.8 ગ્રામ, ફાઇબર 0.2 ગ્રામ અને ફેટ 0.1 ગ્રામ પામવામાં આવે છે. આ ઉપરાંત તેમાં વિટામીન સી, વિટામીન બી 6, વિટામીન કે 1, પોર્ટેશિયમ, કોપર અને વિટામીન એ પણ મળે છે. જે સ્વાસ્થ્ય માટે જરુરી તત્વ છે.

તો લીલા મરચામાં ન્યુટ્રિશનલ વેલ્યુની વાત કરીએ તો એક કપ મરચામાં 29 કેલેરી, 52.76 ટકી વિટામીન સી, 36.80 ટકા સોડિયમ, 23.13 ટકા આયર્ન, 18.29 ટકા વિટામિન બી 9, 12.85 ટકા વિટામીન બી 6 મળે છે. આ ઉપરાંત તેમાં વિટામીન એ,બી, સી,ઇ, પી, મેગ્નેશિયમ, પોર્ટેશિયમ, ફાઇબર પણ આવે છે.

જો લાલ મરચા પાઉડરની સરખામણીમાં લીલુ મરચા સાથે કરવામાં આવે તો લીલુ મરચુ સ્વાસ્થ્ય માટે સારુ છે. લીલા મરચામાં ઉચ્ચ માત્રામાં પાણી હોય છે અને તેમાં કેલેરી પણ ના બરાબર હોય છે.  

લીલા મરચામાં બીટા-કેરોટીન, એન્ટીઓક્સિડન્ટ અને એન્ડોર્ફિન પણ વધારે માત્રામાં હોય છે જ્યારે લાલ મરચુ વધારે માત્રામાં સેવન કરવાથી આંતરિક સોજા આવી શકે છે. તેના પોપ્ટિક અલ્સર થવાની સંભાવના રહે છે. એટલુ જ નહીં, જો તમે બજારમાંથી લાલ મરચુ પાઉડર ખરીદો છો તો તેમાં હાનિકારક રંગો અને સિંથેટિક રંગોનો પણ ઉપયોગ કરવામાં આવે છે તો સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.

લીલા મરચાના ફાયદાની વાત કરીએ તો તે બ્લડ શુગરના સ્તરને મેનેજ કરે છે અને ઇન્સ્યુલિન સ્તરને નિયંત્રિત કરીને હાઇ શુગરને કંટ્રોલ રાખવાનું કામ કરી શકે છે. આ ઉપરાંત આ પાચનને વધારી દે છે, ત્વચાને હેલ્દી રાખે છે. બીટા-કેરોટીનના કારણે હાર્ટને સારુ રાખે છે અને ઇમ્યુનિટીને વધારે છે. આ મેટાબોલિઝમને વધારીને વજનને ઓછુ કરવામાં મદદ કરે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow