RBI વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કરી શકે, 2026માં લોન વધુ સસ્તી થવાની અપેક્ષા

RBI વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કરી શકે, 2026માં લોન વધુ સસ્તી થવાની અપેક્ષા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) વર્ષ 2026માં વ્યાજ દરોમાં 0.50% (50 બેસિસ પોઈન્ટ્સ)નો ઘટાડો કરી શકે છે. IIFL કેપિટલના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં વ્યાજ દરોમાં કુલ 1.25%નો ઘટાડો કર્યા પછી પણ કેન્દ્રીય બેંક પાસે રેટ કટ માટે જગ્યા બાકી છે. જો આવું થાય છે, તો હોમ અને ઓટો લોનની EMIમાં વધુ ઘટાડો થશે, જેનાથી સામાન્ય માણસના ખિસ્સાને મોટી રાહત મળશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં રેપો રેટ અને કોર ઇન્ફ્લેશન (મૂળભૂત મોંઘવારી) વચ્ચેનો તફાવત લગભગ 2.8% છે. છેલ્લા 7 વર્ષની સરેરાશ જોઈએ તો આ તફાવત 1.1%ની આસપાસ રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે મોંઘવારી નિયંત્રણમાં હોવા અને આ મોટા તફાવતને કારણે RBI પાસે રેટ ઘટાડવા માટે પૂરતા તકનીકી કારણો ઉપલબ્ધ છે.

2025માં 1.25% ઘટ્યો વ્યાજ દર

ગયા વર્ષે એટલે કે 2025માં રિઝર્વ બેંકે વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાજ દરોમાં કુલ 125 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 1.25%નો ઘટાડો કર્યો હતો. વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં પણ વ્યાજ દર 0.25% ઘટાડવામાં આવ્યો હતો, જેનાથી રેપો રેટ ઘટીને 5.25% પર આવી ગયો. હવે 2026માં તે 5%થી નીચે અથવા તેની નજીક જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સામાન્ય માણસ પર શું અસર થશે?

જો RBI વર્ષ 2026માં 0.50%નો વધુ ઘટાડો કરે છે, તો બેંકો પર લેન્ડિંગ રેટ ઘટાડવાનું દબાણ વધશે. તેનો સીધો ફાયદો નવા અને જૂના બંને પ્રકારના લોન ગ્રાહકોને મળશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow