આરબીઆઇએ ગોલ્ડ લોનની વર્તમાન મર્યાદામાં વધારો કર્યો

આરબીઆઇએ ગોલ્ડ લોનની વર્તમાન મર્યાદામાં વધારો કર્યો

બુલેટ રિપેમેન્ટ સ્કીમ હેઠળ રિઝર્વ બૅન્કે ગોલ્ડ લોનની વર્તમાન રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. પહેલાં આ મર્યાદા 2 લાખ રૂપિયા હતી હવે તેમાં બેવડો વધારો કરીને 4 લાખ રૂપિયા કરી દેવાઈ છે.

જોકે આ સુવિધા નિર્ધારિત શહેરી કો-ઓપરેટિવ બૅન્કોમાં જ મળશે. શુક્રવારે નાણાનીતિની સમીક્ષા બેઠક મળ્યા પછી આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે જે અર્બન કો-ઓપરેટિવ બૅન્કોએ 31 માર્ચ, 2023 સુધીમાં પ્રાઇમરી સેક્ટર લોન (પીએસએલ) ટાર્ગેટ પૂરો કર્યો હશે તે બૅન્કો જ ગોલ્ડ લોનની રકમ વધારી શકશે.

બુલેટ રિપેમેન્ટ ઓપ્શનમાં લોનધારકને લોનનો સમયગાળો પૂરો થતાં મૂળ રકમ અને વ્યાજની રકમ ચૂકવવાની રહેશે. દરમિયાન રિઝર્વ બૅન્કે સતત ચોથી વાર રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે તમારો ઈએમઆઇ હાલમાં નહીં વધે. દાસે કહ્યું હતું કે 4 ઓક્ટોબરે મળેલી નાણાનીતિની બેઠકમાં રેપોરેટ 6.50% જ રાખવા નક્કી કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં જીડીપી 6.5% જ રહેવાનું અનુમાન છે. નોંધનીય છે કે મે, 2022થી ફેબ્રુઆરી, 2023 દરમિયાન સતત 6ઠ્ઠી વાર વ્યાજદર વધારાયો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow