આરબીઆઈ ગવર્નરનું નિવેદન

આરબીઆઈ ગવર્નરનું નિવેદન

વૈશ્વિક આર્થિક અનિશ્વિતતાના માહોલ વચ્ચે ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનને લઇને RBI ગવર્નર શક્તિકાંત દાસે લોકોને એક વ્યાપક દૃષ્ટિકોણથી સ્થિતિને સમજવાની અપીલ કરતા કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ભૌગોલિક-રાજકીય અનિશ્વિતતા વચ્ચે ડોલર સામે રૂપિયાનું વલણ સ્થિર રહ્યું છે. અન્ય કરન્સીની તુલનાએ રૂપિયાનું ઓછું અવમૂલ્યન થયું છે તેમજ વાસ્તવમાં, કેટલીક કરન્સી સામે તેમાં વધારો પણ થયો છે.

વાર્ષિક FIBACની કોન્ફરન્સને સંબોધિત કરતા દાસે જણાવ્યું હતું કે માર્કેટમાં વાસ્તવિકતાની પરખ કર્યા વગર સતત રૂપિયાના અવમૂલ્યનની વાતો થઇ રહી છે જેથી કરીને કોઇપણ પ્રકારની ખોટી ભાવનાઓ વગર માત્રને માત્ર વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવે તે આવશ્યક છે. તાજેતરની ભૌગોલિક રાજકીય કટોકટીની શરૂઆતથી ડોલર સામે રૂપિયામાં સતત સ્થિર ચાલ જોવા મળી રહી છે. આપણે વૈશ્વિક અનિશ્વિતતાઓને આત્મવિશ્વાસ, સહનશક્તિ અને આ પડકારને પણ માત આપવામાં સક્ષમ રહીશું તેવા આશાવાદ સાથે સામનો કરવો જોઇએ.

ફ્રાન્ક, સિંગાપોર ડોલર અને રશિયન રૂબલ તેમજ ઇન્ડોનેશિયનને બાદ કરતા મોટા ભાગની કરન્સીનું ડોલર સામે અવમૂલ્યન થયું છે. જ્યારે અન્ય મોટી કરન્સીની તુલનાએ રૂપિયાનું ડોલર સામે પ્રદર્શન મજબૂત રહ્યું છે. ડોલર સામે રૂપિયામાં જાપાનીઝ યેનની તુલનામાં 12.4 ટકા, ચાઇનીઝ યુઆનની તુલનામાં 5.9%, પાઉન્ડ કરતા 4.6 %, યુરો સામે 2.5 ટકા વધારો થયો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow