જગન્નાથની રથયાત્રા

જગન્નાથની રથયાત્રા

ચાર પવિત્ર સ્થાનોમાંથી એક પુરીમાં જગન્નાથ ભગવાન કૃષ્ણના રૂપમાં બિરાજમાન છે. અહીં અષાઢ મહિનામાં બીજના દિવસે તેમની રથયાત્રા કાઢવામાં આવે છે. કેટલાક તથ્યો અનુસાર રથયાત્રા 500 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી એવી માન્યતા છે. પરંતુ જગન્નાથ રથયાત્રા 12મી સદીથી શરૂ થાય છે. તેનું વિગતવાર વર્ણન હિન્દુ પવિત્ર ગ્રંથો જેમ કે પદ્મ પુરાણ, બ્રહ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં મળી શકે છે. આ વર્ષે આ યાત્રા 20 જૂન, મંગળવારે છે. પુરાણો જણાવ્યા પ્રમાણે ભગવાન જગન્નાથની બહેને એકવાર નગરર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે પછી જગન્નાથજી અને બલભદ્ર તેમની બહેન સુભદ્રાને રથ પર બેસાડીને શહેરની મુલાકાતે ગયા. ત્યારબાદ તેઓ ગુંડીચામાં તેની માસીના ઘરે(ગુડીચા મંદિરે) જઈ સાત દિવસ રોકાયા હતા. ત્યારથી આ રથયાત્રા કાઢવાની પરંપરા ચાલી રહી છે.

જ્યારે રાજા ઈન્દ્રદ્યુમે જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી ત્યારે, રાણી ગુંડિચાએ મૂર્તિઓ બનાવતી વખતે શિલ્પકાર વિશ્વકર્મા અને તૈયાર થઈ રહેલી મૂર્તિઓને જોઈ લીધી. જેના કારણે મૂર્તિઓ અધૂરી રહી ગઈ. ત્યારે આકાશવાણી થઈ કે ભગવાન આ સ્વરૂપમાં જ સ્થાપિત થવા માગે છે. ત્યારબાદ રાજાએ આ 'અધૂરી મૂર્તિઓ'ને મંદિરમાં સ્થાપિત કરી. એ સમયે પણ આકશવાણી થઈ કે, ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર તેમના જન્મસ્થળ મથુરામાં ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડમાં જણાવ્યા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળની મુલાકાત લેવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે.

લીમડાના પવિત્ર અખંડ લાકડામાંથી રથ બનાવવામાં આવે છે, જેને 'દારુ' કહેવામાં આવે છે. રથના નિર્માણમાં કોઈપણ પ્રકારના ખીલા, કાંટા અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. વસંત પંચમીના દિવસે રથના નિર્માણ માટે લાકડાની પસંદગી કરવામાં આવે છે અને અક્ષયતૃતીયાના દિવસે નિર્માણ કાર્ય શરૂ થાય છે.

જ્યારે ત્રણેય રથ તૈયાર થઈ જાય છે, ત્યારે 'છર પેહનારા' નામની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ અંતર્ગત, પુરીના ગજપતિ રાજા અહીં પાલખીમાં આવે છે અને આ ત્રણેય રથની વિધિવત પૂજા કરે છે અને 'સોનેરી સાવરણીથી રથના મંડપ અને રસ્તાને સાફ કરે છે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow