Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

ઇમરાનની સેના સામે રેન્જર્સ લાચાર

Gujaratnow1 min read
ઇમરાનની સેના સામે રેન્જર્સ લાચાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ મુદ્દે ચાલતા સંઘર્ષ વચ્ચે બુધવારે વળાંક આવ્યો. લાહોર હાઈકોર્ટે ઈમરાનને રાહત આપી છે. કોર્ટે ગુરુવાર સવારે 10 વાગ્યા સુધી પોલીસ કાર્યવાહી પર રોક લગાવી છે. બીજી તરફ ઈમરાનના સમર્થકો દ્વારા પેટ્રોલબોમ્બ અને પથ્થરમારાના કારણે પાકિસ્તાની રેન્જર્સ અને પોલીસને પરત ફરવું પડ્યું હતું. આ પહેલાં પોલીસે સતત 20 કલાક સુધી ટિયર ગેસના શેલ અને એસિડ વોટર છોડીને ઈમરાનના સમર્થકોને હટાવવાનો પ્રયાસ પણ કર્યો હતો છતાં નિષ્ફળતા મળી હતી. ત્યાર પછી ટોળું વિખેરવા રેન્જર્સ દ્વારા ગોળીબાર કરાયો હતો.

જવાબમાં સમર્થકો દ્વારા પેટ્રોલબોમ્બ અને પથ્થરમારો કરાતા રેન્જર્સે પીછેહઠ કરવી પડી હતી. ઈસ્લામાબાદ પોલીસ 10 દિવસ પહેલાં લાહોરમાં ઈમરાનની ધરપકડ માટે પહોંચી હતી, પરંતુ નિષ્ફળ રહી હતી. હવે ઇમરાનના નિવાસસ્થાન જમાન પાર્કમાંથી સુરક્ષાદળો હટી રહ્યાં છે. જોકે ઇમરાનની ગમે તે સમયે ધરપકડ થાય તેવી આશંકા હજુ પણ છે. ઈમરાન પર સરકારી ખજાનામાંથી ભેટ બારોબાર વેચી દેવાનો આરોપ છે. તેમની સામે કુલ 80 કેસ છે.

Gujaratnow1 min read

Related News