તુનિશાને આવ્યાં 'રામના તેડા', ચાહકોને રડતા મૂકીને ઉપડી અંતિમ સફરે, મુંબઈમાં અંતિમ સંસ્કાર

તુનિશાને આવ્યાં 'રામના તેડા', ચાહકોને રડતા મૂકીને ઉપડી અંતિમ સફરે, મુંબઈમાં અંતિમ સંસ્કાર

ટીવી એક્ટ્રેસ તુનિશા શર્મા હંમેશને માટે ચાહકોને અને પરિવારને નોંધારા મૂકીને ચાલી નીકળી છે. 24 ડિસેમ્બરે તુનિશાએ તેની ટીવી સિરિયલના શુટિંગ દરમિયાન મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.  

જે પછી જેજે હોસ્પિટલમાં તેની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાયું હતું ત્યાર બાદ ગઈકાલે તેના પરિવારને તેનું પાર્થિવ શરીર સોંપી દેવામાં આવ્યું હતું અને હવે તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે.  

તુનિશાના સાથી કલાકારો પહોંચ્યા અંતિમ દર્શને
તુનિશાના સાથી કલાકરો તેના અંતિમ દર્શને પહોંચ્યાં હતા. સહુ કોઈ ખામૌશ હતું. દરેકની આંખમાં આંસુ હતા.

શીઝાન ખાન કસ્ટડીમાં રડી પડ્યો

ખબર છે કે તુનિશાના આપઘાત કેસમાં પોલીસની કસ્ટડીમાં રહેલો શીઝાન ખાન તેના અંતિમ સંસ્કારના સમાચાર સાંભળીને રડી પડ્યો હતો.

તુનિશાના અંતિમ સંસ્કારમાં પહોંચી માતા અને બહેન, ધ્રુસકે ધ્રુસકે રડી
તુનિશાના અંતિમ સંસ્કારમાં આરોપી શીઝાન ખાનની માતા અને બહેનોએ આવી હતી. તુનિશાની ડેડબોડી જોઈને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

જવાન દીકરીની ડેડબોડી જોઈને મા બેભાન બની
જવાન દીકરી તુનિશાનું પાર્થિવ શરીર જોઈને તેની માતા બેભાન બની હતી. ત્યાં હાજર સૌ કોઈની આંખમાં આંસુ હતા અને બધાના મનમાં એક જ સવાલ હતો કે આટલી નાની ઉંમરે એવું તે શું દુખ આવી પડ્યું કે તેણે આવું અંતિમ પગલું ભરવું પડ્યું.

24 ડિસેમ્બરે તુનિશાએ સીરિયલા સ્ટેજ પર કર્યો હતો આપઘાત
20 વર્ષીય તુનિશા શર્માએ તેની સીરિયલના શુટિંગ વખતે સ્ટેજ પર આપઘાત કરતા ચકચાર મચી હતી. તુનિશા આપઘાત કેસમાં પોલીસે તેના બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરી છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow