નેપાળ-ભારત વચ્ચે ઝડપથી બનશે રામાયણ સર્કિટ

નેપાળ-ભારત વચ્ચે ઝડપથી બનશે રામાયણ સર્કિટ

ભારત અને નેપાળ વચ્ચે પ્રસ્તાવિત રામાયણ સર્કિટનું કામ ઝડપથી કરવામાં આવશે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને પીએમ મોદીની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું- બંને દેશો વચ્ચે રામાયણ સર્કિટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું- મેં અને પીએમ પ્રચંડે નેપાળ-ભારતની ભાગીદારીને હિટથી સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ સિવાય બંને નેતાએ ભારત-નેપાળ વચ્ચેની નેબરહૂડ ફર્સ્ટ પોલિસી અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ, એગ્રિકલ્ચર અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

નેપાળના પીએમ પ્રચંડે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું- મેં મોદીજી સાથે સરહદ વિવાદ પર ચર્ચા કરી હતી. હું તેમને દ્વિપક્ષીય વાતચીત દ્વારા આ મામલાનો ઉકેલ લાવવા અપીલ કરું છું. હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં પીએમ પ્રચંડે વડાપ્રધાન મોદીને નેપાળ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow