નેપાળ-ભારત વચ્ચે ઝડપથી બનશે રામાયણ સર્કિટ

નેપાળ-ભારત વચ્ચે ઝડપથી બનશે રામાયણ સર્કિટ

ભારત અને નેપાળ વચ્ચે પ્રસ્તાવિત રામાયણ સર્કિટનું કામ ઝડપથી કરવામાં આવશે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને પીએમ મોદીની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું- બંને દેશો વચ્ચે રામાયણ સર્કિટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું- મેં અને પીએમ પ્રચંડે નેપાળ-ભારતની ભાગીદારીને હિટથી સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ સિવાય બંને નેતાએ ભારત-નેપાળ વચ્ચેની નેબરહૂડ ફર્સ્ટ પોલિસી અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ, એગ્રિકલ્ચર અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

નેપાળના પીએમ પ્રચંડે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું- મેં મોદીજી સાથે સરહદ વિવાદ પર ચર્ચા કરી હતી. હું તેમને દ્વિપક્ષીય વાતચીત દ્વારા આ મામલાનો ઉકેલ લાવવા અપીલ કરું છું. હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં પીએમ પ્રચંડે વડાપ્રધાન મોદીને નેપાળ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow