રાજનાથ સિંહે કહ્યું હતું- જરૂર પડશે તો સેના LOC પાર કરશે

રાજનાથ સિંહે કહ્યું હતું- જરૂર પડશે તો સેના LOC પાર કરશે

પાકિસ્તાને કારગિલ ડે પર રાજનાથ સિંહના નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પ્રેસ રિલીઝમાં કહ્યું- અમે લદ્દાખમાં આપવામાં આવેલા ભારતના રક્ષા મંત્રીના નિવેદનની નિંદા કરીએ છીએ.

ભારતે આ મામલે ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આવા નિવેદનો ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા માટે ખતરો છે. આ દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક વાતાવરણને બગાડી શકે છે.

આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ભારતીય નેતા કે સૈન્ય અધિકારીએ PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને લઈને આ પ્રકારનું બેજવાબદાર નિવેદન આપ્યું હોય.

આ પ્રકારની રાષ્ટ્રવાદી વાણીવિલાસ બંધ થવી જોઈએ. અમે ભારતને યાદ અપાવવા માગીએ છીએ કે પાકિસ્તાન કોઈપણ ખતરા સામે પોતાનો બચાવ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.

પાકિસ્તાને કહ્યું કે ભારતના નેતાઓ ચૂંટણીમાં પોતાના ફાયદા માટે પાકિસ્તાન પર નિવેદનો આપે છે, જેને રોકવાની જરૂર છે. તે જ સમયે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતને વિવાદિત વિસ્તાર પર સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનો નિષ્ઠાપૂર્વક અમલ કરવાની સલાહ આપી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow