રાજકોટ ગોકુળિયું બનશે, બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે

રાજકોટ ગોકુળિયું બનશે, બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વિશેષ ઉજવણી કરવામાં આવશે. જેમાં શોભાયાત્રા, લત્તા સુશોભન સહિતના કાર્યક્રમો યોજાશે. આ વખતે રાજકોટમાં પ્રથમ વાર બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે. કુલ 25 કલાકાર આ કાર્યક્રમ રજુ કરશે.

આ રાસમંડળના સંચાલક બટુકભાઈ કોલકીવાળા છે. આ રાસમંડળમાં 25 કલાકારનો કાફલો છે. આ કલાકારો જ્યારે રાસમંડળની પ્રસ્તુતિ કરે છે. ત્યારે સાથે વાદકો દ્વારા વાજિંત્રોની સુરાવલી પણ સાથે રજૂ કરશે. આ રાસ ગોપી મંડળમાં રાધાકૃષ્ણની રાસલીલાની રમઝટ, ઝાંખીલીલા, કૃષ્ણ સુદામા મિલનનો પ્રસંગ, મટકીરાસ રજૂ થશે. બુધવારે 6 સપ્ટેમ્બર 8:30 કલાકે આ કાર્યક્રમ યોજાશે. જન્માષ્ટમીએ શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow