રાજકોટ STની બસ છેક એરપોર્ટ ટર્મિનલ સુધી જશે, ભાડું રૂ.100 જ રહેશે

રાજકોટ STની બસ છેક એરપોર્ટ ટર્મિનલ સુધી જશે, ભાડું રૂ.100 જ રહેશે

રાજકોટ બસપોર્ટથી હિરાસર ખાતે આવેલા નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી જવા માટે યાત્રિકો માટે રવિવારથી નવી એ.સી. ઈલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે. અગાઉ યાત્રિકોમાં એવી રાવ ઊઠી હતી કે, એસ.ટી.ની બસ છેક એરપોર્ટ સુધી નથી જતી પરંતુ હાઈવે સુધી જ જાય છે, પરંતુ રાજકોટ એસ.ટીના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નવી બસ છેક એરપોર્ટ સુધી જશે અને યાત્રિકોને ટર્મિનલ બિલ્ડિંગ પાસે જ ઉતારશે. રાજકોટ એસ.ટી.ના વોલ્વોના ડેપો મેનેજર એન.વી. ઠુમ્મરે જણાવ્યું હતું કે, એરપોર્ટની શરૂ કરેલી તમામ બસ યાત્રિકોને છેક એરપોર્ટ સુધી લઇ જશે.

આ માટે તમામ ડ્રાઈવર-કંડક્ટરને સ્પષ્ટ સૂચના અપાઈ છે. જો કોઈ યાત્રિકોને ફરિયાદ હોય કે મુશ્કેલી જણાય તો રાજકોટ બસપોર્ટ પર ફરિયાદ કરી શકે છે. રવિવારથી શરૂ થયેલી એરપોર્ટ બસ સર્વિસના પહેલા દિવસે આશરે 150 જેટલા યાત્રિકોએ એસ.ટી. બસમાં આવન-જાવન કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow