રાજકોટ મનપા 15 વર્ષ પહેલા વનવિભાગને આપેલી 8 હેકટર જમીન હસ્તગત કરશે

રાજકોટ મનપા 15 વર્ષ પહેલા વનવિભાગને આપેલી 8 હેકટર જમીન હસ્તગત કરશે

રાજકોટ મહાનગરપાલિકાનો ઝૂ અને લાયન બ્રિડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળ થયા બાદ આગામી વર્ષમાં રાંદરડા તળાવ પાસે લાયન સફારી પાર્ક બનાવવા માટે રૂ.10 કરોડની યોજના બનાવવામાં આવી છે તેના માટે જરૂરી જમીન એકત્ર કરવા માટે મનપાએ 15 વર્ષ પહેલા જંગલખાતાને આપેલી 8 હેકટર જમીન પરત લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે દિવસ પૂર્વે મનપા કમિશનર અને જંગલખાતાના અધિકારીઓ સાથે બેઠક મળી હતી અને આ બેઠકમાં જંગલખાતાએ જમીન પરત આપવા તૈયારી બતાવી છે.

જંગલખાતાને પરવાનગી અપાઈ હતી
રાજકોટ મહાનગરપાલિકાને આ જમીન સરકારે બ્યુટીફિકેશન અને રાંદરડા તળાવ આસપાસ મનોરંજન પાર્ક માટે બનાવવાના હેતુથી ફાળવી હતી. જો કે જમીન ફાળવણી બાદ કોઈ પ્રોજેકટ નહિ બનતા જંગલખાતાને સામાજિક વનિકરણની યોજના માટે જમીનનો ઉપયોગ કરવા પરવાનગી આપવામાં આવી હતી. જમીનનો ઉપયોગ 15 વર્ષ માટે થઈ શકશે તેવું નક્કી કરાયું હતું. હવે મહાપાલિકાએ બજેટ 2023-24 માં જમીનની જરૂર પડી છે. મનપા દ્વારા ત્યા લાયન સફારી પાર્ક બનાવવા માટે આગળ કાર્યવાહી શરૂ કરી રહી છે.

રાંદરડા અને લાલપરી પાસે સિંહ દર્શન થશે
મનપાએ જમીનની માગણી માટે જંગલખાતાને જણાવતા અધિકારીઓ વચ્ચે હકારાત્મક બેઠક યોજાઈ હતી. આ જમીન 15 વર્ષ માટે આપવામાં આવી હતી અને હાલ તેના કરતા વધુ સમયગાળો થઈ ચૂક્યો છે ત્યારે જમીન જંગલખાતું પરત આપી દેશે. જમીન મહાપાલિકાની માલિકીની હોવાથી કોઈ ટેકનીકલ સમસ્યા આડી આવી શકે તેમ નથી. જમીનનો મુદ્દો ક્લિયર થયા બાદ યોજનાનો ડી.પી.આર. બનાવવામાં આવશે. જે રીતે સાસણના દેવળીયા, જૂનાગઢમાં સકકરબાગ પાછળ સિંહને મુક્ત વિહાર કરતા માણી શકાય છે તે રીતે રાજકોટમાં રાંદરડા અને લાલપરી પાસે સફારી પાર્કમાં સિંહ દર્શન થઈ શકશે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow