રાજકોટમાં દશેરાએ મીઠાઈઓના વેચાણ પર તપાસ

રાજકોટમાં દશેરાએ મીઠાઈઓના વેચાણ પર તપાસ

દશેરાએ મીઠાઈઓના વેચાણનું પ્રમાણ વધારે હોવાથી તે દિવસે રજા હોવા છતાં મનપાની ફૂડ શાખાએ ચકાસણી હાથ ધરી હતી અને 15 મીઠાઈના સ્થળે તપાસમાંથી 5 સ્થળે નોટિસ ફટકારાઈ છે. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે રૈયા રોડ, સાધુવાસવાણી રોડ તથા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કુલ 15 સ્થળે ચકાસણી કરવામાં આવેલ જેમાં મીઠાઇ, વરખ તથા યુઝ્ડ કૂકિંગ તેલના કુલ 19 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરાયું હતું અને 5 પેઢીને યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ અપાઈ છે.

ઠક્કર સ્વીટ એન્ડ નમકીન (રૈયા રોડ) પરથી 2.5 કિલો વાસી હલવો, બાલાજી ફરસાણ માર્ટ (રૈયા ચોકડી) પરથી 2 કિલો વાસી હલવો, બાલકૃષ્ણ ફરસાણ (રૈયા રોડ) પરથી 6 કિલો વાસી બરફીનો નાશ કરાયો હતો. જ્યારે કામધેનુ જલપાન (રૈયા રોડ), રાધે ડેરી ફાર્મ (રૈયા રોડ)ને નોટિસ ફટકારાઈ છે.

Read more

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે

By Gujaratnow
પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

By Gujaratnow
પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow