રાજકોટમાં દશેરાએ મીઠાઈઓના વેચાણ પર તપાસ

રાજકોટમાં દશેરાએ મીઠાઈઓના વેચાણ પર તપાસ

દશેરાએ મીઠાઈઓના વેચાણનું પ્રમાણ વધારે હોવાથી તે દિવસે રજા હોવા છતાં મનપાની ફૂડ શાખાએ ચકાસણી હાથ ધરી હતી અને 15 મીઠાઈના સ્થળે તપાસમાંથી 5 સ્થળે નોટિસ ફટકારાઈ છે. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે રૈયા રોડ, સાધુવાસવાણી રોડ તથા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કુલ 15 સ્થળે ચકાસણી કરવામાં આવેલ જેમાં મીઠાઇ, વરખ તથા યુઝ્ડ કૂકિંગ તેલના કુલ 19 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરાયું હતું અને 5 પેઢીને યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ અપાઈ છે.

ઠક્કર સ્વીટ એન્ડ નમકીન (રૈયા રોડ) પરથી 2.5 કિલો વાસી હલવો, બાલાજી ફરસાણ માર્ટ (રૈયા ચોકડી) પરથી 2 કિલો વાસી હલવો, બાલકૃષ્ણ ફરસાણ (રૈયા રોડ) પરથી 6 કિલો વાસી બરફીનો નાશ કરાયો હતો. જ્યારે કામધેનુ જલપાન (રૈયા રોડ), રાધે ડેરી ફાર્મ (રૈયા રોડ)ને નોટિસ ફટકારાઈ છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow