રાજકોટમાં દશેરાએ મીઠાઈઓના વેચાણ પર તપાસ

રાજકોટમાં દશેરાએ મીઠાઈઓના વેચાણ પર તપાસ

દશેરાએ મીઠાઈઓના વેચાણનું પ્રમાણ વધારે હોવાથી તે દિવસે રજા હોવા છતાં મનપાની ફૂડ શાખાએ ચકાસણી હાથ ધરી હતી અને 15 મીઠાઈના સ્થળે તપાસમાંથી 5 સ્થળે નોટિસ ફટકારાઈ છે. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે રૈયા રોડ, સાધુવાસવાણી રોડ તથા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કુલ 15 સ્થળે ચકાસણી કરવામાં આવેલ જેમાં મીઠાઇ, વરખ તથા યુઝ્ડ કૂકિંગ તેલના કુલ 19 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરાયું હતું અને 5 પેઢીને યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ અપાઈ છે.

ઠક્કર સ્વીટ એન્ડ નમકીન (રૈયા રોડ) પરથી 2.5 કિલો વાસી હલવો, બાલાજી ફરસાણ માર્ટ (રૈયા ચોકડી) પરથી 2 કિલો વાસી હલવો, બાલકૃષ્ણ ફરસાણ (રૈયા રોડ) પરથી 6 કિલો વાસી બરફીનો નાશ કરાયો હતો. જ્યારે કામધેનુ જલપાન (રૈયા રોડ), રાધે ડેરી ફાર્મ (રૈયા રોડ)ને નોટિસ ફટકારાઈ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow