રાજકોટમાં દશેરાએ મીઠાઈઓના વેચાણ પર તપાસ

રાજકોટમાં દશેરાએ મીઠાઈઓના વેચાણ પર તપાસ

દશેરાએ મીઠાઈઓના વેચાણનું પ્રમાણ વધારે હોવાથી તે દિવસે રજા હોવા છતાં મનપાની ફૂડ શાખાએ ચકાસણી હાથ ધરી હતી અને 15 મીઠાઈના સ્થળે તપાસમાંથી 5 સ્થળે નોટિસ ફટકારાઈ છે. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે રૈયા રોડ, સાધુવાસવાણી રોડ તથા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કુલ 15 સ્થળે ચકાસણી કરવામાં આવેલ જેમાં મીઠાઇ, વરખ તથા યુઝ્ડ કૂકિંગ તેલના કુલ 19 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરાયું હતું અને 5 પેઢીને યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ અપાઈ છે.

ઠક્કર સ્વીટ એન્ડ નમકીન (રૈયા રોડ) પરથી 2.5 કિલો વાસી હલવો, બાલાજી ફરસાણ માર્ટ (રૈયા ચોકડી) પરથી 2 કિલો વાસી હલવો, બાલકૃષ્ણ ફરસાણ (રૈયા રોડ) પરથી 6 કિલો વાસી બરફીનો નાશ કરાયો હતો. જ્યારે કામધેનુ જલપાન (રૈયા રોડ), રાધે ડેરી ફાર્મ (રૈયા રોડ)ને નોટિસ ફટકારાઈ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow