રાજકોટ 12 ગુનામાં ફરાર ચડ્ડી-બનિયાન ગેંગના સાગરીતે દોઢ વર્ષમાં 40 ચોરી કરી હતી

રાજકોટ 12 ગુનામાં ફરાર ચડ્ડી-બનિયાન ગેંગના સાગરીતે દોઢ વર્ષમાં 40 ચોરી કરી હતી

રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લૂંટ, ધાડ, ચોરી સહિતના ગુનાઓને અંજામ આપી ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ તરખાટ મચાવ્યો છે. ત્યારે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં થોડા સમય પહેલાં જ ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ પાંચ ગુનાને અંજામ આપ્યો હતો. જે બનાવ બાદ પોલીસે તપાસ શરૂ કરી ટોળકીના કેટલાક સાગરીતોને પકડી પાડ્યા હતા.

જ્યારે ટોળકીની પૂછપરછમાં તેમનો વધુ એક સાગરીત દાહોદનો ભરત બાદરસીંગ પલાસ પણ હોવાની કબૂલાત આપી હતી. ત્યારે રાજકોટ શહેરમાં 9 તેમજ જામનગર, મહેસાણા અને ગાંધીનગર મળી કુલ 12 ગુનામાં નાસતો ભરત પલાસ બેડી ચોકડી પાસે હોવાની ક્રાઇમ બ્રાંચને ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસ ટીમ તુરંત બેડી ચોકડી પાસે દોડી જઇને ભરત પલાસને સકંજામાં લીધો હતો.

સકંજામાં આવેલા ચડ્ડી-બનિયાનધારી ટોળકીના સૂત્રધાર ભરત પલાસની પૂછપરછ કરતા તેને સાગરીતો લાલા ખીમસીંગ પલાસ, રાકેશ પલાસ, છપ્પર પલાસ, કાજુ પલાસ સહિતના સાગરીતો સાથે મળી છેલ્લા દોઢ વર્ષમાં રાજકોટ શહેર, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લૂંટ, મંદિર ચોરી વગેરે મળી કુલ 40 ગુનાને અંજામ આપ્યાની કબૂલાત આપી છે. અગાઉ રાજકોટ ઉપરાંત જામનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, ગાંધીનગર, હિંમતનગર જિલ્લા પોલીસ મથકમાં 21 વખત ચોપડે ચડી ચૂકેલા ભરત પલાસની વધુ પૂછપરછમાં ચોરી, લૂંટના બનાવને અંજામ આપ્યા બાદ ટોળકીના સભ્યો રોકડનો ભાગ પાડી લેતા હોવાનું જણાવ્યું છે. સૂત્રધાર ભરત પલાસની પૂછપરછમાં બનાવને અંજામ આપવા જતા પહેલા તે અને રાળિયા પલાસ બંને સ્થળની રેકી કરવા જતા હતા. રેકી કર્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં ખેતમજૂરી કરતા તેમના સાગરીતોને ફોન કરી જાણ કરતા હતા. જાણ કર્યા બાદ બધા બનાવ સ્થળેથી એક કિલોમીટર દૂર ભેગા થતા હતા. પોલીસ પકડથી બચી શકે તે માટે તેમજ સીસીટીવી કેમેરા ન હોય તેવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના બારોબારના કારખાના, સ્કૂલ, રહેણાક મકાન, વાડીમાં લૂંટ, ચોરીના બનાવને અંજામ આપતા હતા. ટોળકીની ઓળખ છતી ન થાય તે માટે ચડ્ડી-બનિયાન પહેરતા અને મોઢે બુકાની બાંધી દેતા હતા. બનાવને અંજામ દેવા જતી વેળાએ સાથે પથ્થર, ડિસમિસ, ગણેશિયો, દાતરડુ, ગીલોલ, ટોર્ચ જેવા સાધનો સાથે રાખતા હોવાની ભરત પલાસે કબૂલાત આપી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડેલા ભરત પલાસને યુનિવર્સિટી પોલીસ હવાલે કર્યો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow