રાજકોટ 10 દિવસ પહેલાં મુસાફરનું ખિસ્સું હળવું કરનાર રિક્ષાગેંગ પકડાઇ

રાજકોટ 10 દિવસ પહેલાં મુસાફરનું ખિસ્સું હળવું કરનાર રિક્ષાગેંગ પકડાઇ

એકલદોકલ મુસાફરને રિક્ષામાં બેસાડી સાગરીતો સાથે મળી ચાલક મુસાફરના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતા હોવાના બનાવો રોજિંદા બની ગયા છે. આવા બનાવો અટકાવવા પોલીસે રિક્ષા પાછળ નામ સાથેની વિગતો વાળી પ્લેટ લગાડવાની ઝુંબેશ શરૂ કરી હતી. તેમ છતાં ગુનાહિત પ્રવૃત્તિ આચરતા શખ્સોએ આ નિયમોને ઘોળીને પી ગયા હોય સમયાંતરે બનાવોને અંજામ આપી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવને અંજામ આપનાર રિક્ષાગેંગને પોલીસે ઝડપી લીધી છે.

ગાયકવાડી-3માં રહેતા પ્રેમજીભાઇ ભોલાભાઇ સોલંકી નામના વૃદ્ધ ગત તા.2ના રોજ રાજસ્થાન કિડીનીની સારવાર કરાવી પરત રાજકોટ આવ્યા હતા. ત્યારે પોતે સેશન્સ કોર્ટ પાસે બસમાંથી ઉતરી ઘરે જવા રિક્ષા કરી હતી. જે રિક્ષામાં ચાલક ઉપરાંત અન્ય બે મુસાફર બેઠા હતા. બાદમાં ચાલકે રિક્ષા પૂરઝડપે ચલાવી આડી અવળી ચલાવતા પોતે અન્ય મુસાફર ઉપર પડ્યા હતા. જેથી પોતાને રિક્ષામાંથી ઉતારી દેવાનું કહેતા ઘર નજીક ચાલકે ઉતારી દીધા હતા. રિક્ષા જતી રહ્યાં બાદ ખિસ્સું તપાસતા રૂ.11 હજારની રોકડ ગાયબ હતી.

બાદમાં પોતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે તપાસ શરૂ કરી પોપટપરા મેઇન રોડ, સંતોષીનગર પાસેથી ભગવતીપરા વિસ્તારના સંજય બધિયા ઉધરેજિયા, સુરેશ ઉર્ફે સુરી હેમા ભોજવિયા, સુરેશ દુલા સોલંકીને પકડી પાડ્યા હતા. પૂછપરછમાં ત્રિપુટીએ વૃદ્ધનું ખિસ્સું હળવું કર્યાની કબૂલાત આપતા પોલીસે ત્રિપુટી પાસેથી રોકડા રૂ.11 હજાર, રિક્ષા કબજે કરી ધરપકડ કરી છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow