ભારતીય હાઈ કમિશન પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

ભારતીય હાઈ કમિશન પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુકેના પીએમ ઋષિ સુનક સાથે વાત કરી હતી. તેમણે સુનક પાસેથી ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. આ સાથે પીએમએ બ્રિટનમાં શરણ લેનાર વિજય માલ્યા, નીરવ મોદીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે બ્રિટિશ સરકારને તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનાવવાની માગ કરી હતી. તે જ સમયે, મોદીએ સુનકને સપ્ટેમ્બરમાં યોજાનારી જી-20 સમિટ માટે આમંત્રણ આપ્યું હતું. સુનકે પણ G-20ના ભારતના અધ્યક્ષપદને સપોર્ટ કર્યું.

PMએ કહ્યું- ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરો
પીએમ મોદીએ સુનકને કહ્યું કે હાલમાં બ્રિટનમાં કેટલાક ભારત વિરોધી તત્વો ખુલ્લેઆમ કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે, જે ચિંતાજનક છે. આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જવાબમાં સુનકે ખાતરી આપી હતી કે બ્રિટનમાં ભારતીય દૂતાવાસોની સુરક્ષામાં કોઈ ચૂક નહીં થાય. તેમણે વધુમાં કહ્યું કે લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલો ક્યારેય સ્વીકારી શકાય નહીં.

પીએમ મોદીએ સુનક સાથે ભારત અને યુકે વચ્ચેના આર્થિક સંબંધો પર પણ ચર્ચા કરી હતી. બંનેએ ભારત-યુકે રોડમેપ 2030 પર લાંબી ચર્ચા કરી હતી. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોએ ભારતની સરકારી તિજોરી લૂટી છે અને બ્રિટનમાં છુપાઈ ગયા છે. આવા ગુનેગારોને વહેલામાં વહેલી તકે પ્રત્યાર્પણ કરો જેથી તેઓને ભારતના કાયદા મુજબ સજા મળી શકે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow