માલગાડી માટે રેલવેએ રાજકોટ રૂટની ચાર પેસેન્જર ટ્રેન રદ કરી

માલગાડી માટે રેલવેએ રાજકોટ રૂટની ચાર પેસેન્જર ટ્રેન રદ કરી

લોકોને પ્રાથમિક પરિવહન સેવા આપતું રેલવે તંત્ર પણ હવે યાત્રિકોને સેવા આપવાની સાથે સાથે હવે કમાણીને પણ કેન્દ્રસ્થાને રાખતું હોય તેમ ગૂડ્સ ટ્રેન ચલાવવા માટે રેલવેએ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવતી ચાર સહિત કુલ છ ટ્રેન 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ કરી છે. આટલા દિવસો સુધી પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવતા એકસાથે મોટી સંખ્યામાં યાત્રિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જામનગર-વડોદરા ઇન્ટરસિટી અને વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનો થોડા દિવસો માટે રદ કરી છે.

ટ્રેન નં 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 03 માર્ચ સુધી રદ કરી છે. ટ્રેન નં. 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી રદ રહેશે, ટ્રેન નં 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી રદ રહેશે. ટ્રેન નં 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ રહેશે. આ ઉપરાંત ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી અને ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ કરી દેવાઇ છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow