માલગાડી માટે રેલવેએ રાજકોટ રૂટની ચાર પેસેન્જર ટ્રેન રદ કરી

માલગાડી માટે રેલવેએ રાજકોટ રૂટની ચાર પેસેન્જર ટ્રેન રદ કરી

લોકોને પ્રાથમિક પરિવહન સેવા આપતું રેલવે તંત્ર પણ હવે યાત્રિકોને સેવા આપવાની સાથે સાથે હવે કમાણીને પણ કેન્દ્રસ્થાને રાખતું હોય તેમ ગૂડ્સ ટ્રેન ચલાવવા માટે રેલવેએ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવતી ચાર સહિત કુલ છ ટ્રેન 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ કરી છે. આટલા દિવસો સુધી પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવતા એકસાથે મોટી સંખ્યામાં યાત્રિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જામનગર-વડોદરા ઇન્ટરસિટી અને વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનો થોડા દિવસો માટે રદ કરી છે.

ટ્રેન નં 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 03 માર્ચ સુધી રદ કરી છે. ટ્રેન નં. 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી રદ રહેશે, ટ્રેન નં 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી રદ રહેશે. ટ્રેન નં 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ રહેશે. આ ઉપરાંત ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી અને ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ કરી દેવાઇ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow