માલગાડી માટે રેલવેએ રાજકોટ રૂટની ચાર પેસેન્જર ટ્રેન રદ કરી

માલગાડી માટે રેલવેએ રાજકોટ રૂટની ચાર પેસેન્જર ટ્રેન રદ કરી

લોકોને પ્રાથમિક પરિવહન સેવા આપતું રેલવે તંત્ર પણ હવે યાત્રિકોને સેવા આપવાની સાથે સાથે હવે કમાણીને પણ કેન્દ્રસ્થાને રાખતું હોય તેમ ગૂડ્સ ટ્રેન ચલાવવા માટે રેલવેએ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવતી ચાર સહિત કુલ છ ટ્રેન 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ કરી છે. આટલા દિવસો સુધી પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવતા એકસાથે મોટી સંખ્યામાં યાત્રિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જામનગર-વડોદરા ઇન્ટરસિટી અને વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનો થોડા દિવસો માટે રદ કરી છે.

ટ્રેન નં 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 03 માર્ચ સુધી રદ કરી છે. ટ્રેન નં. 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી રદ રહેશે, ટ્રેન નં 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી રદ રહેશે. ટ્રેન નં 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ રહેશે. આ ઉપરાંત ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી અને ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ કરી દેવાઇ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow