ઓડિશા દુર્ઘટનામાં અજાણ્યા લોકો સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી

ઓડિશા દુર્ઘટનામાં અજાણ્યા લોકો સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં માનવીય ભૂલ કે ટેકનિકલ ખામી નહીં પણ કંઈક બીજું જ હોઈ શકે છે. એટલે કે આ દુર્ઘટના કોઈ કાવતરું હોઈ શકે છે. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવા પાછળનું કારણ આ જ હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે ટ્રેન દુર્ઘટનાની તપાસ રેલવે સુરક્ષા કમિશનર કરે છે. આ તપાસ પણ રેલવે સુરક્ષા કમિશનર જ કરી રહ્યા છે.

એક રેલવે અધિકારીના મતે, સુરક્ષા કમિશનરની તપાસમાં પણ માનવીય ભૂલ કે તોડફોડ વગેરેની તપાસ થાય છે. આ ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન મુખ્ય લાઈનથી ડાયવર્ટ થઈને લૂપ લાઈનમાં જવાથી ત્યાં પહેલેથી જ ઊભેલી માલગાડી સાથે ટકરાવાથી થઈ. બાદમાં કોરોમંડલના ડબા બીજી લાઈન એટલે કે પાટા પર જઈને પડ્યા. આ દુર્ઘટનાનું કારણ શું હતું અને તેનાથી કેવી રીતે બચી શકાતું હતું તે તપાસ રેલવે સુરક્ષા કમિશનર કરશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow