રેલનગર અન્ડરબ્રિજનું ફરી કરાશેસમારકામ, તળિયાનું પાણી રોકવા કેમિકલ નખાશે!

રેલનગર અન્ડરબ્રિજનું ફરી કરાશેસમારકામ, તળિયાનું પાણી રોકવા કેમિકલ નખાશે!

રેલનગર અન્ડરબ્રિજ મનપાની નિષ્ફળ ઈજનેરીની નિશાની બની ચૂક્યો છે. બ્રિજ બનવાનું શરૂ થયું ત્યારથી જ વિવાદનો પાયો ખોદાયો હતો. બ્રિજ બનવામાં વાર લાગી ધાર્યા કરતા ખૂબ મોટો ખર્ચ થયો અને જ્યારે બન્યો તો ચોમાસાના પાણી બારે માસ રહેવા લાગ્યા! આ કારણે બ્રિજમાં ચારેકોર પાણીની વચ્ચે શેવાળ અને રસ્તો જોખમી બનતા વારંવાર થતા અકસ્માતોથી લોકો કંટાળ્યા છે. હવે મનપા 50 લાખના ખર્ચે સમારકામ કરીને સમસ્યાના ઉકેલનો છેલ્લો પ્રયત્ન કરવાની છે. જે કામ સોમવારથી શરૂ થવાનું છે.

રેલનગર અન્ડરબ્રિજમાં દીવાલોમાંથી પાણી વહ્યા કરે છે આ ઉપરાંત સૌથી ગંભીર બાબત એ છે કે, ભોંયતળિયે આરસીસી કામ કરેલું હોવા છતાં તેમાંથી પાણી નીકળે છે. બીજી તરફ બ્રિજનો ઢાળ પણ સરખો ન હોવાથી પાણી વહી શકતું નથી જેથી પાણી ભરાયેલું રહે છે. આ બધી સમસ્યાનો નિકાલ કાઢવા મનપાએ વોટર પ્રૂફિંગ અને સમારકામનો રસ્તો કાઢ્યો છે. તળિયાને યોગ્ય ઢાળ અપાશે ત્યારબાદ તેમાં કેમિકલ નાખી વોટર પ્રૂફિંગ કરાશે. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગની ક્ષમતા પણ વધારાશે. આ કામગીરી બે મહિના ચાલશે જેથી બ્રિજ બંધ રહેશે. ડાયવર્ઝનનો નિર્ણય લેવા માટે મનપાએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જાહેરનામું બહાર પડતા બ્રિજ બંધ કરી દેવાશે જોકે ત્યાં સુધી નાની મોટી સાફસફાઈ ચાલુ રખાશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow