રેલનગર અન્ડરબ્રિજનું ફરી કરાશેસમારકામ, તળિયાનું પાણી રોકવા કેમિકલ નખાશે!

રેલનગર અન્ડરબ્રિજનું ફરી કરાશેસમારકામ, તળિયાનું પાણી રોકવા કેમિકલ નખાશે!

રેલનગર અન્ડરબ્રિજ મનપાની નિષ્ફળ ઈજનેરીની નિશાની બની ચૂક્યો છે. બ્રિજ બનવાનું શરૂ થયું ત્યારથી જ વિવાદનો પાયો ખોદાયો હતો. બ્રિજ બનવામાં વાર લાગી ધાર્યા કરતા ખૂબ મોટો ખર્ચ થયો અને જ્યારે બન્યો તો ચોમાસાના પાણી બારે માસ રહેવા લાગ્યા! આ કારણે બ્રિજમાં ચારેકોર પાણીની વચ્ચે શેવાળ અને રસ્તો જોખમી બનતા વારંવાર થતા અકસ્માતોથી લોકો કંટાળ્યા છે. હવે મનપા 50 લાખના ખર્ચે સમારકામ કરીને સમસ્યાના ઉકેલનો છેલ્લો પ્રયત્ન કરવાની છે. જે કામ સોમવારથી શરૂ થવાનું છે.

રેલનગર અન્ડરબ્રિજમાં દીવાલોમાંથી પાણી વહ્યા કરે છે આ ઉપરાંત સૌથી ગંભીર બાબત એ છે કે, ભોંયતળિયે આરસીસી કામ કરેલું હોવા છતાં તેમાંથી પાણી નીકળે છે. બીજી તરફ બ્રિજનો ઢાળ પણ સરખો ન હોવાથી પાણી વહી શકતું નથી જેથી પાણી ભરાયેલું રહે છે. આ બધી સમસ્યાનો નિકાલ કાઢવા મનપાએ વોટર પ્રૂફિંગ અને સમારકામનો રસ્તો કાઢ્યો છે. તળિયાને યોગ્ય ઢાળ અપાશે ત્યારબાદ તેમાં કેમિકલ નાખી વોટર પ્રૂફિંગ કરાશે. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગની ક્ષમતા પણ વધારાશે. આ કામગીરી બે મહિના ચાલશે જેથી બ્રિજ બંધ રહેશે. ડાયવર્ઝનનો નિર્ણય લેવા માટે મનપાએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જાહેરનામું બહાર પડતા બ્રિજ બંધ કરી દેવાશે જોકે ત્યાં સુધી નાની મોટી સાફસફાઈ ચાલુ રખાશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow