Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🏏 Cricket

રાહુલ દ્રવિડ આયર્લેન્ડ પ્રવાસ પર નહીં જાય, લક્ષ્મણ કોચ રહેશે

Gujaratnow1 min read
રાહુલ દ્રવિડ આયર્લેન્ડ પ્રવાસ પર નહીં જાય, લક્ષ્મણ કોચ રહેશે

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને આયર્લેન્ડ પ્રવાસમાંથી આરામ આપવામાં આવશે. દ્રવિડની સાથે બેટિંગ અને બોલિંગ કોચ પણ આયર્લેન્ડ જશે નહીં. તેમના સ્થાને એનસીએના સભ્યો ટીમ ઈન્ડિયા સાથે કોચિંગ સ્ટાફ તરીકે રહેશે. અહેવાલો અનુસાર, વીવીએસ લક્ષ્મણ આયર્લેન્ડ પ્રવાસ માટે મુખ્ય કોચ હશે.

આયર્લેન્ડ પ્રવાસ 18 ઓગસ્ટથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા અહીં 3 T20 મેચ રમશે. માનવામાં આવી રહ્યું છે કે અહીં માત્ર હાર્દિક પંડ્યાને જ કેપ્ટનશિપ આપવામાં આવશે. જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે.

એશિયા કપ, વર્લ્ડ કપ માટે આરામ આપવામાં આવ્યો છે
રાહુલ દ્રવિડની સાથે બેટિંગ કોચ વિક્રમ રાઠોર અને બોલિંગ કોચ પારસ મ્હાબરે પણ આયર્લેન્ડ જશે નહીં. આ ત્રણેય 13 ઓગસ્ટે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ ખતમ થયા બાદ સીધા ભારત આવશે. કોચિંગ સ્ટાફને એશિયા કપ, ઓસ્ટ્રેલિયાથી ઓડીઆઈ સીરીઝ અને સૌથી મહત્વની વાત એ છે કે ઓડીઆઈ વર્લ્ડ કપની તૈયારી માટે બ્રેક આપવામાં આવી રહ્યો છે.

એશિયા કપ 31 ઓગસ્ટથી શરૂ થશે. સપ્ટેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે સિરીઝ રમાશે. સીરીઝ બાદ ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ પણ શરૂ થશે. કોચિંગ સ્ટાફને બ્રેક આપવામાં આવી રહ્યો છે જેથી તેઓ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે શાંતિથી તૈયારી કરી શકે.

Gujaratnow1 min read

Related News