Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Politics

રાજકોટ શહેરની પશ્ચિમ બેઠક પર અનડકટને ટિકિટ આપવા રઘુવંશી સમાજ મેદાને

Gujaratnow1 min read
રાજકોટ શહેરની પશ્ચિમ બેઠક પર અનડકટને ટિકિટ આપવા રઘુવંશી સમાજ મેદાને

ગુજરાત વિધાનસભાની 182 બેઠકની ચૂંટણી માટેના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે અને જ્ઞાતિઓના મહત્વનું સંતુલન રાખ્યાની છાપ ઉભી કરવામાં આવી છે ત્યારે વેપાર, ઉદ્યોગ, સામાજીક, રાજકીય સહિતની પ્રવૃત્તિમાં અગ્રેસર અને દેશ-વિદેશમાં કામ ધંધાથી નામના મેળવનાર એવા રઘુવંશી સમાજને ભાજપે માત્ર મતદાર વર્ગમાં ગણીને ઘોર અવગણના કર્યાનો રોષ છલકાયો છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ રઘુંવશી નેતાને ટિકિટ ન આપતા વિરોધનો વંટોળ શરુ થયો છે. જ્યાં કોંગ્રેસે હજુ વિધાનસભા 69માં પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી, આ બેઠક માટે મનસુખ કાલરિયા અને ગોપાલ અનડકટ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ-69ની બેઠક પર દાવો કરનાર કોંગ્રેસ નેતા ગોપાલ અનડકટના સમર્થનમાં અનેકે કાર્યકરોએ બહુમાળી ભવન ખાતે એકત્ર થયા હતા. વિધાનસભાની ટીકીટ ગોપાલને મળે તેવી માંગ સાથે રઘુવંશી સમાજમાંથી પણ કાર્યકરો પહોંચ્યા હતા.

Gujaratnow1 min read

Related News