RBI આગામી બેઠકમાં વ્યાજદર જાળવી રાખશે: એસબીઆઇ ચેરમેન

RBI આગામી બેઠકમાં વ્યાજદર જાળવી રાખશે: એસબીઆઇ ચેરમેન

આરબીઆઇ તેની આગામી MPC બેઠક દરમિયાન યથાસ્થિત જાળવી રાખે તેવી શક્યતા સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ વ્યક્ત કરી હતી. ઔદ્યોગિક સંગઠન CII દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે એક બેન્ક તરીકે વ્યાજદરમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા જણાતી નથી અને RBI યથાસ્થિતિ જાળવી રાખશે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

RBIની આગામી મોનેટરી પોલિસીની બેઠક આગામી 8-10 ઓગસ્ટના રોજ યોજાશે. નોંધનીય છે કે RBIએ સતત બીજી મોનેટરી પોલિસીની બેઠક દરમિયાન દરેકને અચંબિત કરતા વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા પરંતુ ચોમાસા પર નજર રાખવા દરમિયાન ફુગાવો હળવો થાય છે કે નહીં તેનું પણ આકલન કરાશે તેવા સંકેતો આપ્યા હતા. રિટેલ સેક્ટરમાં મજબૂત માંગને કારણે કોર્પોરેટ સેક્ટરમાં ક્ષમતાના વિસ્તરણ માટે રોકાણની જરૂરિયાત ઉભી થઇ છે. વપરાશ વધી રહ્યો છે અને કોર્પોરેટ સેકટર પણ હવે મૂડીખર્ચ અંગે યોજના બનાવી રહ્યું છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow