RBI આગામી બેઠકમાં વ્યાજદર જાળવી રાખશે: એસબીઆઇ ચેરમેન

RBI આગામી બેઠકમાં વ્યાજદર જાળવી રાખશે: એસબીઆઇ ચેરમેન

આરબીઆઇ તેની આગામી MPC બેઠક દરમિયાન યથાસ્થિત જાળવી રાખે તેવી શક્યતા સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ વ્યક્ત કરી હતી. ઔદ્યોગિક સંગઠન CII દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે એક બેન્ક તરીકે વ્યાજદરમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા જણાતી નથી અને RBI યથાસ્થિતિ જાળવી રાખશે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

RBIની આગામી મોનેટરી પોલિસીની બેઠક આગામી 8-10 ઓગસ્ટના રોજ યોજાશે. નોંધનીય છે કે RBIએ સતત બીજી મોનેટરી પોલિસીની બેઠક દરમિયાન દરેકને અચંબિત કરતા વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા પરંતુ ચોમાસા પર નજર રાખવા દરમિયાન ફુગાવો હળવો થાય છે કે નહીં તેનું પણ આકલન કરાશે તેવા સંકેતો આપ્યા હતા. રિટેલ સેક્ટરમાં મજબૂત માંગને કારણે કોર્પોરેટ સેક્ટરમાં ક્ષમતાના વિસ્તરણ માટે રોકાણની જરૂરિયાત ઉભી થઇ છે. વપરાશ વધી રહ્યો છે અને કોર્પોરેટ સેકટર પણ હવે મૂડીખર્ચ અંગે યોજના બનાવી રહ્યું છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow