RBI આગામી બેઠકમાં વ્યાજદર જાળવી રાખશે: એસબીઆઇ ચેરમેન

RBI આગામી બેઠકમાં વ્યાજદર જાળવી રાખશે: એસબીઆઇ ચેરમેન

આરબીઆઇ તેની આગામી MPC બેઠક દરમિયાન યથાસ્થિત જાળવી રાખે તેવી શક્યતા સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ વ્યક્ત કરી હતી. ઔદ્યોગિક સંગઠન CII દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે એક બેન્ક તરીકે વ્યાજદરમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા જણાતી નથી અને RBI યથાસ્થિતિ જાળવી રાખશે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

RBIની આગામી મોનેટરી પોલિસીની બેઠક આગામી 8-10 ઓગસ્ટના રોજ યોજાશે. નોંધનીય છે કે RBIએ સતત બીજી મોનેટરી પોલિસીની બેઠક દરમિયાન દરેકને અચંબિત કરતા વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા પરંતુ ચોમાસા પર નજર રાખવા દરમિયાન ફુગાવો હળવો થાય છે કે નહીં તેનું પણ આકલન કરાશે તેવા સંકેતો આપ્યા હતા. રિટેલ સેક્ટરમાં મજબૂત માંગને કારણે કોર્પોરેટ સેક્ટરમાં ક્ષમતાના વિસ્તરણ માટે રોકાણની જરૂરિયાત ઉભી થઇ છે. વપરાશ વધી રહ્યો છે અને કોર્પોરેટ સેકટર પણ હવે મૂડીખર્ચ અંગે યોજના બનાવી રહ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow