રાજસ્થાનમાં સ્લીપર બસ-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોત

રાજસ્થાનમાં સ્લીપર બસ-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોત

રાજસ્થાનના સીકરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 3 લોકોનાં મોત થયા છે અને 18 મુસાફરો ઘાયલ થયા છે, જેમાં 7ની સ્થિતિ ગંભીર છે. આ અકસ્માત જયપુર–બીકાનેર નેશનલ હાઈવે પર રાત્રે લગભગ 10:40 વાગ્યે ફતેહપુર નજીક થયો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની હજુ સુધી ઓળખ થઈ નથી.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગુજરાતના રહેવાસી હતા. આ બધા વૈષ્ણો દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને યાત્રા દરમિયાન ખાટુ શ્યામજી મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા.

માહિતી મુજબ સ્લીપર બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતી. જ્યારે ટ્રક ઝુનઝુનૂથી બીકાનેર તરફ જઈ રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ચકનાચૂર થઈ ગયો અને ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે બૂમાબૂમ મચી ગઈ હતી. હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનો થંભી ગયા અને સ્થાનિક લોકોએ તુરંત પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે સખત મહેનત કરવી પડી.

ઘાયલોને તાત્કાલિક સીકર અને આસપાસની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ઘણી ટીમો તેમની સારવારમાં વ્યસ્ત છે.

Read more

જન્મ-મરણનાં પોર્ટલમાં ગંભીર ખામી

જન્મ-મરણનાં પોર્ટલમાં ગંભીર ખામી

રાજકોટ મહાપાલિકામાં ઘણા સમયથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર જન્મ-મરણના દાખલાની કામગીરી આવી ગઇ છે ત્યારે એક સાથે ત્રણ-ત્રણ પોર્ટલ પર કામ કરવાના કા

By Gujaratnow
જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના

જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના

જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો

By Gujaratnow
પડતર પ્રશ્ને આંગણવાડી અને આશાવર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર

પડતર પ્રશ્ને આંગણવાડી અને આશાવર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે. નામદાર હાઇકોર્

By Gujaratnow
ઇશ્યૂમાંથી ₹655 કરોડ એકત્ર કરશે, ₹5 લાખનું સ્ટાર્ટઅપ આજે ટોચની 30 ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીમાં સામેલ

ઇશ્યૂમાંથી ₹655 કરોડ એકત્ર કરશે, ₹5 લાખનું સ્ટાર્ટઅપ આજે ટોચની 30 ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીમાં સામેલ

ડિસેમ્બરમાં એક બાદ એક નવા IPO આવી રહ્યાં છે. જેમાં અમદાવાદની ફાર્મા કંપની કોરોના રેમેડીઝ લિમિટેડનો ₹655 કરોડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO પલ્બિ

By Gujaratnow