રાજકોટની બ્લડબેંકોમાં રક્તની અછત

રાજકોટની બ્લડબેંકોમાં રક્તની અછત

એક તરફ દિવાળીનો તહેવાર તો બીજી તરફ રાજકોટમાં બ્લડ બેન્કની અંદર લોહીની અછતના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળીના મહાપર્વ ને લઇ હાલ સ્વૈચ્છિક રક્તદાનનું પ્રમાણ ઘટી ગયું હોવાથી રાજકોટની બ્લડ બેંકોમાં છેલ્લા પંદર દિવસથી તમામ ગ્રુપ રક્તની અછત જોવા મળી રહી છે. આ સંજોગોમાં, ઓપરેશન દરમિયાન જેમને રક્ત ચડાવવાની જરૂર પડે છે એવા સંખ્યાબંધ દર્દીઓ અને ખાસ કરીને થેલેસેમિક બાળકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

દિવાળીમાં લોહીની અછત જોવા મળતી

રાજકોટની ખાનગી બ્લડ બેન્ક સાથે સંકળાયેલા ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર દરમિયાન દરેક બ્લડ બેંકમાં લોહીની અછત જોવા મળી રહી છે. તહેવાર સમયે દિવાળીના પર્વ પર શાળા કોલેજમાં વેકેશન હોવાથી, ઇન્ડસ્ટ્રીઝમાં રજા હોવાથી અને સામાજિક કાર્યક્રમો ઓછા થતા હોવાથી આ દિવસોમાં રક્તદાન કેમ્પનું આયોજન થઇ શકતું નથી જેના કારણે સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારોમાં લોહીની અછત જોવા મળતી હોય છે. જો કે આ સમયે બ્લડબેંકમાં પણ લોહીની જરૂરિયાત સામાન્ય દિવસો કરતા ઓછી જોવા મળતી હોય છે કારણ કે પ્રિ-પ્લાન કોઈ સર્જરી તહેવાર સમયે થતી નથી હોતી માત્ર ઇમરજન્સી તેમજ અકસ્માત, મહિલાઓમાં ડીલેવરીના કિસ્સા તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે જ લોહીની જરૂરિયાત ઉદભવતી હોય છે.

Read more

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે

By Gujaratnow
પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

By Gujaratnow
પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow