રાજકોટમાં પત્નીને છરીના 5 ઘા મારનાર પતિ ઝડપાયો

રાજકોટમાં પત્નીને છરીના 5 ઘા મારનાર પતિ ઝડપાયો

રાજકોટમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. શહેરમાં વધુ એક સંબંધોની હત્યાનો બનાવ સામે આવ્યો છે. રવિવારે શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિએ જ પત્નીને છરીના 5 ઘારી હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને 8 નવેમ્બરે સાંજે પોલીસે દબોચ્યો હતો.

દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નંબર 10 ખાતે આવેલા એક મકાનમાં બન્યો હતો. 27 વર્ષીય નિલેશ્વરી બોરીચા નામની પરિણીતાની તેના જ પતિ યોગેશ બોરીચા દ્વારા છરીના 5 જેટલા ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ થોરાળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પારિવારિક ઝઘડા એટલે કે ઘરકંકાશ હોવાનું જાણવા મળ્યું છે.

બંને વચ્ચે ઝઘડા થતા હતા અને પતિ નિલેશ્વરીબેનને હેરાન-પરેશાન કરતો હતો એસીપી બારૈયાનાં જણાવ્યા મુજબ, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે હત્યાનો બનાવ બન્યો હતો. મૃતક નિલેશ્વરીબેન જે અમદાવાદના રહેવાસી હતા, તેમણે આજથી 4 વર્ષ પહેલા આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા સાથે પ્રેમસંબંધના કારણે લવ મેરેજ કર્યા હતા. અને તેઓ ભગવતીપરામાં સાથે રહેતા હતા. છેલ્લા એકાદ મહિનાથી નાની બાબતોમાં બંને વચ્ચે ઝઘડા થતા હતા અને પતિ નિલેશ્વરીબેનને હેરાન-પરેશાન કરતો હતો. આથી, 4-5 દિવસ પહેલા નિલેશ્વરીબેન તેમના ઘરેથી જતાં રહેલા અને પોતાની બહેનપણી સાથે આકાશદીપ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેવા ગયા હતા.

Read more

જન્મ-મરણનાં પોર્ટલમાં ગંભીર ખામી

જન્મ-મરણનાં પોર્ટલમાં ગંભીર ખામી

રાજકોટ મહાપાલિકામાં ઘણા સમયથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર જન્મ-મરણના દાખલાની કામગીરી આવી ગઇ છે ત્યારે એક સાથે ત્રણ-ત્રણ પોર્ટલ પર કામ કરવાના કા

By Gujaratnow
જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના

જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના

જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો

By Gujaratnow
પડતર પ્રશ્ને આંગણવાડી અને આશાવર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર

પડતર પ્રશ્ને આંગણવાડી અને આશાવર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે. નામદાર હાઇકોર્

By Gujaratnow
રાજસ્થાનમાં સ્લીપર બસ-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોત

રાજસ્થાનમાં સ્લીપર બસ-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોત

રાજસ્થાનના સીકરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 3 લોકોનાં મોત થયા છે અને 18 મુસાફરો ઘાયલ થયા છે, જેમાં 7ની સ્થિતિ ગંભીર છે. આ અકસ્

By Gujaratnow