રાજકોટમાં ખૂલી ચિંતા બેંક, લોકો સમસ્યા જમા કરાવી શકશે

રાજકોટમાં ખૂલી ચિંતા બેંક, લોકો સમસ્યા જમા કરાવી શકશે

રાજકોટમાં રવિવારે એક અલગ પ્રકારની બેંક ખૂલી છે. જેને ચિંતા બેંક નામ આપવામાં આવ્યું છે. આ બેંકમાં દરેક સમાજના લોકો પોતાની પારિવારિક, સામાજિક, આર્થિક કે અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તેને જમા કરાવી શકશે અને વળતરમાં તેને નિરાકરણ મળશે. આજના યુવાનો આગળ આવે અને તેને નવી દિશા મળે તે હેતુથી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજે અલગ પ્રકારની બેંક શરૂ કરી છે.

આ સિવાય યુવાનો પગભર બને તે માટે બિઝનેસ ગુરુ નામ અંતર્ગત તાલીમ શાળા ખોલવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રભરના સફળ ઉદ્યોગપતિઓ યુવાનો સાથે વાર્તાલાપ કરે છે. તેમજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજે અત્યાર સુધી 500થી વધુ કિસ્સામાં છૂટાછેડા, ભાગીદારીના ઝઘડા, વ્યસન, જમીન-મકાનના કબજાની સમસ્યાનું નિરાકરણ કર્યુ છે.

રવિવારે એક અલગ પ્રકારની બેંક ખૂલી
આ અંગે વધુ માહિતી આપતા કારોબારી સભ્ય શૈલેષભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજ છેલ્લા ત્રણ વર્ષથી સમાજના ઉત્થાન માટે કામ કરે છે. આ સંસ્થામાં કોઇ નાત-જાતના વાડા રાખવામાં આવ્યા નથી. દરેક સમાજના લોકો આ સંસ્થા સાથે જોડાઇ શકે છે. સભ્યો સ્વખર્ચે લોકોની સમસ્યાનું નિરાકરણ કરે છે. સમાજના અનેક લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જેનું સમાધાન તો છે પરંતુ તેને ક્યાંક પૂરતું માર્ગદશર્ન નથી તો સપોર્ટ નથી. આથી તેઓ અનેક મુશ્કેલી અનુભવતા હોવાનું ધ્યાને આવ્યું છે. આથી ચિંતા બેંક ખોલવાનો વિચાર આવ્યો.

યુવાનોને બિઝનેસ માટેની તાલીમ અને માર્ગદર્શન આપ્યું
પ્રાથમિક તબક્કે રાજકોટમાં આર.કે. એમ્પાયર, બાપા સીતારામ ચોક, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ ખાતે આ ચિંતા બેંક ખોલવામાં આવી છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત તેમજ દેશભરમાં ખોલવામાં આવશે. રવિવારે આયોજિત કાર્યક્રમમાં સુરતના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ યુવાનોને બિઝનેસ માટેની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું.

અત્યાર સુધી કરાયેલી કામગીરીનો ચિતાર

  • 7-12 બચાવો અભિયાન
  • કોઈના કબજામાંથી જમીન, મકાન કે મિલકત છોડાવવાની કામગીરી
  • વ્યાજ વટાવ કેસનું નિરાકરણ
  • ગૌશાળા માટે આર્થિક દાન આપવું
  • ગરીબ દીકરીના લગ્નનો ખર્ચ ઉપાડવો
  • MBBS ના વિદ્યાર્થીઓ માટે પંદર લાખની વ્યાજ વગરની લોન આપવી
  • એક હજારથી વધુ યુવાનને બિઝનેસ ટ્રેનિંગ આપવી
  • સભ્યો વ્યસન મૂકીને આ સંસ્થામાં દાન આપી આર્થિક-સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ છે.
  • આ રીતે કામ કરશે ચિંતા બેંક
    સંસ્થાની ઓફિસમાં જે પેટી મૂકવામાં આવી છે તેમાં કોઈ પણ ચિઠ્ઠી મૂકી જાશે તો તે ખોલીને વાંચવામાં આવશે. જે સમાજની હોય તે સમાજના આગેવાનોને સાથે રાખવામાં આવશે. જેને ચિંતા રજૂ કરી છે તેને પહેલા સાંભળવામાં આવશે.જો કોઇ વ્યક્તિ સાથે પ્રશ્ન કે ઝઘડો હશે તો તેને પણ સાથે રાખીને બન્ને પક્ષને સાંભળવામાં આવશે. અથવા તો આર્થિક કે અન્ય કોઈ સમસ્યા હશે તો તેને એ મુજબની મદદ કરવામાં આવશે અને માર્ગદર્શન અપાશે. સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ દેસાઈ અને તેની ટીમ આ માટે કામ કરશે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow