રાજકોટમાં આજથી 50મા દુર્ગા મહોત્સવનો પ્રારંભ

રાજકોટમાં આજથી 50મા દુર્ગા મહોત્સવનો પ્રારંભ

બંગાળી એસોસિએશન રાજકોટ આયોજિત 50મા દુર્ગા મહોત્સવનો આજથી પ્રારંભ થશે. આ વખતે બંગાળના બ્રાહ્મણો પૂજા કરવા માટે આવશે. તેમજ કોલકાતાની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. મૂર્તિ બંગાળના કારીગરોએ બનાવી છે. સવાર- સાંજ પૂજા, અર્ચના તેમજ ભોગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા બંગાળી એસોસિએશન રાજકોટના પ્રમુખ દિલીપ સરકારે જણાવ્યું હતું કે, દુર્ગા મહોત્સવ દરમિયાન બંગાળી પરિવાર 30 સપ્ટેમ્બરથી 04 ઓક્ટોબર સુધી સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ નિમિત્તે મુખ્ય અતિથિ પદે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે. મહાષષ્ઠીના શુભ અવસરે રાત્રે 8 કલાકે મા દુર્ગાના આગમનની વિધિ કરવમાં આવશે. મહોત્સવ દરમિયાન 8.30 કલાકે પૂજા શરૂ થશે જે અંદાજિત બે કલાક સુધી ચાલશે અને ત્યારબાદ ભોગ યોજાશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow