રાજકોટ યાર્ડમાં કપાસની આવક ઘટી

રાજકોટ યાર્ડમાં કપાસની આવક ઘટી

બુધવારે યાર્ડમાં કપાસની આવક 4 હજાર ક્વિન્ટલ થઈ હતી. જે મંગળવારની સરખામણીએ 1200 ક્વિન્ટલ ઓછી હતી. મણના ભાવે રૂ.1800ની સપાટી કુદાવી હતી. બીજી તરફ કપાસની હાલમાં ડિમાન્ડ પણ છે. કપાસની આવક ઘટતા ખાદ્યતેલમાં પણ રૂ.15નો ઉછાળો આવ્યો હતો. જ્યારે પડતર મગફળીનો નિકાલ હજુ થયો નથી. આ પડતર મગફળીનો નિકાલ થયા બાદ નવી આવક સ્વીકારવામાં આવશે. યાર્ડમાં 24 ઓક્ટોબર સુધી જ આવક ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ 25 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થઈ જાશે.

જે એક સપ્તાહ સુધીનું રહેશે. શાકભાજી વિભાગમાં 25થી 29 ઓક્ટોબર, બટેટા વિભાગમાં 25થી 27 ઓક્ટોબર અને ડુંગળી વિભાગમાં 24થી 28 અને ઘાસચારા વિભાગમાં 24થી 27 ઓક્ટોબર સુધી રજા રહેશે. જ્યારે અનાજ વિભાગમાં 22 ઓક્ટોબર શનિવારે સવારના 8 થી 30 ઓક્ટોબર રવિવારના રાત્રે 10 કલાક સુધી આવકો બંધ રાખવામાં આવશે. 31 ઓક્ટોબરથી યાર્ડમાં કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. હાલ યાર્ડમાં 37 જણસીની આવક થઈ રહી છે.

Read more

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે

By Gujaratnow
પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

By Gujaratnow
પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow