રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) આજે તોફાની બન્યું હતું. જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર કાઢવામાં આવ્યા હતા. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે, શાસકોને રાજકોટમાં પડેલા ખાડા દેખાતા જ નથી. મ્યુ.કમિશ્નરે લેખિતમાં ખાડા બુરવામાં આવ્યા તેવું આપ્યું અને ભાજપના શાસકો કહે છે ખાડા નથી. રાજકોટમાં ખાડા પુરવામાં અધિકારીઓની ઢીલાશ છે. જોકે કોર્પોરેટર વિનું ઘવાએ રાજકોટમાં ખાડા જ નહી હોવાનું જણાવ્યું હતું. તો મેયરે કહ્યું, રાજકોટમાં ખાડા પુરવાની કામગીરી સારી રીતે ચાલે છે, કોંગ્રેસ માત્ર ખોટા નાટક કરે છે. આજનાં બોર્ડમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી કરવા EDને મંજૂરી આપવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં શહેરમાં ખાડારાજનાં આરોપ સાથે વિપક્ષના ચારેય નગરસેવકોએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા હતા. અને ચાલુ બોર્ડમાં તેમજ રામનાથ મહાદેવને ગંદકી મુક્ત કરવાનાં બેનરો બતાવતા માર્શલોએ ખેંચી લીધા હતા. જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ હોબાળો કરતા મેયરનાં આદેશ બાદ ફાયર વિભાગના માર્શલો દ્વારા આ તમામ કોંગી કોર્પોરેટરોને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. જેને લઈને વિપક્ષ નેતા સાગઠિયાએ 'હાય રે ભાજપ હાય હાય'નાં નારા લગાવ્યા હતા.

જનરલ બોર્ડ પૂર્વે વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હાલ મામુલી વરસાદમાં રાજકોટમાં ઠેર-ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે. જેને લઈને તંત્રને જગાડવા માટે અમે કમર અને હાથમાં પાટા બાંધીને પહોંચ્યા છીએ. ભાજપનાં આ ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા માટે તેઓએ હાથ અને કમરમાં પાટા બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતાની ઉંમર 60 વર્ષની હોવાનું જણાવી અને સિનિયર સિટીઝનોને પડતી મુશ્કેલી રજૂ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતી. સાથે જ તેમણે રસ્તામાં ખાડાનાં ફોટાઓ રજૂ કર્યા હતા. જોકે ભાજપનાં કોર્પોરેટર વીનું ધવાએ રાજકોટમાં હાલ ખાડા નહીં હોવાનો અને અધિકારીઓ યોગ્ય રીતે કામ કરતા હોવાનો લુલો બચાવ કર્યો હતો.

Read more

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં ગણેશ ઉત્સવનું પાંચ દિવસનું ભવ્ય આયોજન થયા બાદ આજે, સોમવારે શહેરની 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું છે. સવા 3 કિમી લાંબી આ વિસર્જન યાત્રા

By Gujaratnow
જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે મહેલની થીમ સાથે સૌરાષ્ટ્

By Gujaratnow
રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર હવે દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેશે. સોમવારે સાંજે 6 વાગ્યે, તેમણે રાજીનામા

By Gujaratnow
સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

1 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવ તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે સોનુ

By Gujaratnow