રાજકોટ ગ્રામ્ય વિસ્તારના નદીએ નહાવા ગયેલી મનોદિવ્યાંગ તરુણી પર દુષ્કર્મ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના નદીએ નહાવા ગયેલી મનોદિવ્યાંગ તરુણી પર દુષ્કર્મ

રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મનોદિવ્યાંગ તરુણી પર ગામના જ શખ્સે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાનો બનાવ પ્રકાશમાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેને ત્રણ સંતાન છે. સૌથી મોટી દીકરી 17 વર્ષની છે. નાનપણમાં મોટી પુત્રીને આંચકી આવ્યા બાદ તેની સમજશક્તિ સાવ ઓછી હોવાને કારણે મનોદિવ્યાંગ છે અને તે ધો.7માં અભ્યાસ કરે છે. પોતે પતિ સાથે મજૂરીકામે સવારે નીકળી ગયા બાદ સાંજે પરત ઘરે આવે છે. આ સમયે સંતાનો ઘરે એકલા રહે છે.

દરમિયાન મોટી પુત્રી છેલ્લા પંદર દિવસથી બીમાર પડી હોય તબીબ પાસેથી દવા લીધી હતી. તેમ છતાં પુત્રીને તાવ ઉતર્યો ન હતો. ત્યારે તા.3-11ની સાંજે ભત્રીજો પુત્રીના ખબર અંતર પૂછવા આવ્યો હોય તેને પુત્રીને તબિયત સુધરતી ન હોવાની વાત કરી હતી. જેથી ભત્રીજાએ સારા ડોક્ટરને બતાવવા જવાનું કહીને લઇ ગયો હતો.

તે ડોક્ટરે પેડક રોડ પરના ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. જેથી પુત્રીને લઇ પોતે ભત્રીજા સાથે પેડક રોડ પર ડોક્ટર પાસે ગયા હતા. જ્યાં ડોક્ટરે સોનોગ્રાફી સહિતનું પરીક્ષણ કર્યા બાદ તેનો રિપોર્ટ આપી તમારી દીકરીના પેટમાં સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાની વાત કરી હતી. પુત્રીની સમજ શક્તિ અન્ય બાળકો કરતા સાવ ઓછી હોય અને તબિયત પણ સારી ન હોય તેની પૂછપરછ કરી ન હતી. બાદમાં બીજા દિવસે સવારે પુત્રીને ફોસલાવી પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા તે ગામની નદીએ નહાવા ગઇ હતી.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow