રાજકોટ એસટી બસ સિવિલ પાસેના બ્રિજ નીચેથી ચાલશે

રાજકોટ એસટી બસ સિવિલ પાસેના બ્રિજ નીચેથી ચાલશે

સિવિલ હોસ્પિટલ ખાતે બનતા બ્રિજના કામને કારણે છેલ્લા કેટલાક સમયથી એસટી બસ ફરી ફરીને ચાલતી હતી. હવે આ બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટથી અમદાવાદ જતી બસનું 4.30 કિ.મી.નું અંતર ઘટી ગયું છે. તેમજ જે વધારાનું રૂ.2 ભાડું લગાવવામાં આવ્યું હતું તે હવે રદ કરવામાં આવશે. આ સિવાય જામનગર જતી બસ પણ બ્રિજ નીચેથી મળી જશે. વળતા આ બન્ને રૂટના મુસાફરોને જ્યુબિલી ચોક ખાતે ઉતરવાનું રહેશે. તેમ એસટી વિભાગીય નિયામક વડા જે.બી. કલોતરાએ જણાવ્યું છે.

વધુમાં તેને માહિતી આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આર્મ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી પૂરી થતા હવે રાજકોટ બસપોર્ટથી અમદાવાદ તરફ જતી બસનું 4.30 કિ.મી.નું અંતર ઘટી જાશે. તેમજ હવે રાજકોટથી અમદાવાદ જતી બસના મુસાફરોને બ્રિજ નીચે ઊભા રહેવાનું રહેશે તથા અમદાવાદથી રાજકોટ તરફ આવતા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ થઈને સંચાલન કરવાનું રહેશે. રાજકોટથી જામનગર તરફ જતા હોસ્પિટલ ચોક ખાતે ઓવરબ્રિજ નીચે ઊભેલા મુસાફરોને લેવાના રહેશે. તથા જામનગરથી રાજકોટ તરફ આવતા મુસાફરોને જ્યુબિલી ચોક પાસે ઉતારવાના રહેશે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow