રાજકોટ એસટી બસ સિવિલ પાસેના બ્રિજ નીચેથી ચાલશે

રાજકોટ એસટી બસ સિવિલ પાસેના બ્રિજ નીચેથી ચાલશે

સિવિલ હોસ્પિટલ ખાતે બનતા બ્રિજના કામને કારણે છેલ્લા કેટલાક સમયથી એસટી બસ ફરી ફરીને ચાલતી હતી. હવે આ બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટથી અમદાવાદ જતી બસનું 4.30 કિ.મી.નું અંતર ઘટી ગયું છે. તેમજ જે વધારાનું રૂ.2 ભાડું લગાવવામાં આવ્યું હતું તે હવે રદ કરવામાં આવશે. આ સિવાય જામનગર જતી બસ પણ બ્રિજ નીચેથી મળી જશે. વળતા આ બન્ને રૂટના મુસાફરોને જ્યુબિલી ચોક ખાતે ઉતરવાનું રહેશે. તેમ એસટી વિભાગીય નિયામક વડા જે.બી. કલોતરાએ જણાવ્યું છે.

વધુમાં તેને માહિતી આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આર્મ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી પૂરી થતા હવે રાજકોટ બસપોર્ટથી અમદાવાદ તરફ જતી બસનું 4.30 કિ.મી.નું અંતર ઘટી જાશે. તેમજ હવે રાજકોટથી અમદાવાદ જતી બસના મુસાફરોને બ્રિજ નીચે ઊભા રહેવાનું રહેશે તથા અમદાવાદથી રાજકોટ તરફ આવતા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ થઈને સંચાલન કરવાનું રહેશે. રાજકોટથી જામનગર તરફ જતા હોસ્પિટલ ચોક ખાતે ઓવરબ્રિજ નીચે ઊભેલા મુસાફરોને લેવાના રહેશે. તથા જામનગરથી રાજકોટ તરફ આવતા મુસાફરોને જ્યુબિલી ચોક પાસે ઉતારવાના રહેશે.

Read more

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે

By Gujaratnow
પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

By Gujaratnow
પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow