રાજકોટ ડોક્ટરના ઘરનો દરવાજો બંધ કરી તેમના ભાઇના ઘરમાંથી 1.70 લાખની મતા ઉઠાવી ગયા

રાજકોટ ડોક્ટરના ઘરનો દરવાજો બંધ કરી તેમના ભાઇના ઘરમાંથી 1.70 લાખની મતા ઉઠાવી ગયા

શહેરના જામનગર રોડ પરના પરાસરપાર્કમાં રહેતા ડોક્ટરના મકાનનો દરવાજો બંધ કરી તેમના મકાનની નીચેના માળે રહેતા તેમના ભાઇના રૂમના તાળાં તોડી અંદર ઘુસેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.1.70 લાખનો મુદ્દામાલ ઉસેડી ગયા હતા.

પરાસરપાર્કમાં રહેતા અને હડાળા આરોગ્ય સેન્ટરમાં ફરજ બજાવતાં ડોક્ટર પ્રવીણભાઇ પાલાભાઇ મહીડા (ઉ.વ.35)એ ચોરીની ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રવીણભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેમના ભાઇ એક જ મકાનમાં ઉપર નીચે પરિવાર સાથે રહે છે.

ગુરૂવારે રાત્રે ડો.પ્રવીણભાઇના ભાઇ કમલેશભાઇ તથા તેના પત્ની રાધિકાબેન નોકરી પર નાઇટ ડ્યૂટીમાં હતા, તેમના મકાનના બારણાને તાળું માર્યું હતું. સવારે સાતેક વાગ્યે તબીબ પ્રવીણભાઇના પત્ની વર્ષાબેને તબીબને નિંદ્રામાંથી ઉઠાડ્યા હતા અને ઉપરના માળે આવેલા તેમના મકાનનો દરવાજો કોઇએ બહારથી બંધ કરી દીધાની જાણ કરી હતી, તબીબે પાડોશીને ફોનથી જાણ કરતા તેઓ દરવાજો ખોલી ગયા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow