રાજકોટ 5 દિવસના સ્થાપિત બાપાને ભારે હૈયે લોકોએ આપી વિદાય

રાજકોટ 5 દિવસના સ્થાપિત બાપાને ભારે હૈયે લોકોએ આપી વિદાય

ગણપતિ મહોત્સવનો પાંચમો દિવસ છે ત્યારે ઠેર-ઠેર 'અગલે બરસ તું જલ્દી આ'નાં નારા સાથે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ માટે મનપા દ્વારા શહેરમાં છ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ 50થી વધુનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો હતો. વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો પણ સતત સતર્ક રહી વિસર્જન સ્થળે બંદોબસ્તમાં જોડાયા હતા. લોકોએ પાંચ દિવસ વિધિવત રીતે ગણપતિની પૂજા-અર્ચના કરી ભારે હૈયે વિદાય આપી હતી.

ઢોલ-નગારાના તાલે લોકોએ ગણપતિ બપ્પાને ભારે હૈયે વિદાય આપી ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ કરી 3, 5, 7 અને 10 દિવસ માટે લોકો પોતાના ઘર, સોસાયટી, શેરી-ગલ્લી અને શાળા કોલેજમાં ગણપતિની સ્થાપના કરી બપ્પાની પૂજા-અર્ચના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરતા હોય છે. આજે પાંચમો દિવસ અને રવિવાર હોવાથી રાજકોટમાં ગણપતિ બાપાના વિસર્જન માટે લોકો મનપાએ નિયત કરેલ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ઢોલ-નગારાના તાલે લોકો ભારે હૈયે 'અગલે બરસ તું જલ્દી આ'ના નાદ સાથે વિદાય આપી હતી.

શહેરમાં આજી-1 ડેમ ખાણ એક અને બે, ઓવરફ્લો સાઈડ, ન્યારા સહીત કુલ છ જગ્યાઓ વિસર્જન માટે નક્કી કરવામાં આવી હતી, જ્યાં આજે પાંચમા દિવસે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow