રાજકોટ 5 દિવસના સ્થાપિત બાપાને ભારે હૈયે લોકોએ આપી વિદાય

રાજકોટ 5 દિવસના સ્થાપિત બાપાને ભારે હૈયે લોકોએ આપી વિદાય

ગણપતિ મહોત્સવનો પાંચમો દિવસ છે ત્યારે ઠેર-ઠેર 'અગલે બરસ તું જલ્દી આ'નાં નારા સાથે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ માટે મનપા દ્વારા શહેરમાં છ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ 50થી વધુનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો હતો. વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો પણ સતત સતર્ક રહી વિસર્જન સ્થળે બંદોબસ્તમાં જોડાયા હતા. લોકોએ પાંચ દિવસ વિધિવત રીતે ગણપતિની પૂજા-અર્ચના કરી ભારે હૈયે વિદાય આપી હતી.

ઢોલ-નગારાના તાલે લોકોએ ગણપતિ બપ્પાને ભારે હૈયે વિદાય આપી ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ કરી 3, 5, 7 અને 10 દિવસ માટે લોકો પોતાના ઘર, સોસાયટી, શેરી-ગલ્લી અને શાળા કોલેજમાં ગણપતિની સ્થાપના કરી બપ્પાની પૂજા-અર્ચના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરતા હોય છે. આજે પાંચમો દિવસ અને રવિવાર હોવાથી રાજકોટમાં ગણપતિ બાપાના વિસર્જન માટે લોકો મનપાએ નિયત કરેલ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ઢોલ-નગારાના તાલે લોકો ભારે હૈયે 'અગલે બરસ તું જલ્દી આ'ના નાદ સાથે વિદાય આપી હતી.

શહેરમાં આજી-1 ડેમ ખાણ એક અને બે, ઓવરફ્લો સાઈડ, ન્યારા સહીત કુલ છ જગ્યાઓ વિસર્જન માટે નક્કી કરવામાં આવી હતી, જ્યાં આજે પાંચમા દિવસે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow