રાજકોટ 5 દિવસના સ્થાપિત બાપાને ભારે હૈયે લોકોએ આપી વિદાય

રાજકોટ 5 દિવસના સ્થાપિત બાપાને ભારે હૈયે લોકોએ આપી વિદાય

ગણપતિ મહોત્સવનો પાંચમો દિવસ છે ત્યારે ઠેર-ઠેર 'અગલે બરસ તું જલ્દી આ'નાં નારા સાથે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ માટે મનપા દ્વારા શહેરમાં છ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ 50થી વધુનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો હતો. વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો પણ સતત સતર્ક રહી વિસર્જન સ્થળે બંદોબસ્તમાં જોડાયા હતા. લોકોએ પાંચ દિવસ વિધિવત રીતે ગણપતિની પૂજા-અર્ચના કરી ભારે હૈયે વિદાય આપી હતી.

ઢોલ-નગારાના તાલે લોકોએ ગણપતિ બપ્પાને ભારે હૈયે વિદાય આપી ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ કરી 3, 5, 7 અને 10 દિવસ માટે લોકો પોતાના ઘર, સોસાયટી, શેરી-ગલ્લી અને શાળા કોલેજમાં ગણપતિની સ્થાપના કરી બપ્પાની પૂજા-અર્ચના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરતા હોય છે. આજે પાંચમો દિવસ અને રવિવાર હોવાથી રાજકોટમાં ગણપતિ બાપાના વિસર્જન માટે લોકો મનપાએ નિયત કરેલ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ઢોલ-નગારાના તાલે લોકો ભારે હૈયે 'અગલે બરસ તું જલ્દી આ'ના નાદ સાથે વિદાય આપી હતી.

શહેરમાં આજી-1 ડેમ ખાણ એક અને બે, ઓવરફ્લો સાઈડ, ન્યારા સહીત કુલ છ જગ્યાઓ વિસર્જન માટે નક્કી કરવામાં આવી હતી, જ્યાં આજે પાંચમા દિવસે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow