રાજકોટ 5 દિવસના સ્થાપિત બાપાને ભારે હૈયે લોકોએ આપી વિદાય

રાજકોટ 5 દિવસના સ્થાપિત બાપાને ભારે હૈયે લોકોએ આપી વિદાય

ગણપતિ મહોત્સવનો પાંચમો દિવસ છે ત્યારે ઠેર-ઠેર 'અગલે બરસ તું જલ્દી આ'નાં નારા સાથે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ માટે મનપા દ્વારા શહેરમાં છ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ 50થી વધુનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો હતો. વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો પણ સતત સતર્ક રહી વિસર્જન સ્થળે બંદોબસ્તમાં જોડાયા હતા. લોકોએ પાંચ દિવસ વિધિવત રીતે ગણપતિની પૂજા-અર્ચના કરી ભારે હૈયે વિદાય આપી હતી.

ઢોલ-નગારાના તાલે લોકોએ ગણપતિ બપ્પાને ભારે હૈયે વિદાય આપી ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ કરી 3, 5, 7 અને 10 દિવસ માટે લોકો પોતાના ઘર, સોસાયટી, શેરી-ગલ્લી અને શાળા કોલેજમાં ગણપતિની સ્થાપના કરી બપ્પાની પૂજા-અર્ચના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરતા હોય છે. આજે પાંચમો દિવસ અને રવિવાર હોવાથી રાજકોટમાં ગણપતિ બાપાના વિસર્જન માટે લોકો મનપાએ નિયત કરેલ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ઢોલ-નગારાના તાલે લોકો ભારે હૈયે 'અગલે બરસ તું જલ્દી આ'ના નાદ સાથે વિદાય આપી હતી.

શહેરમાં આજી-1 ડેમ ખાણ એક અને બે, ઓવરફ્લો સાઈડ, ન્યારા સહીત કુલ છ જગ્યાઓ વિસર્જન માટે નક્કી કરવામાં આવી હતી, જ્યાં આજે પાંચમા દિવસે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

Read more

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં ગણેશ ઉત્સવનું પાંચ દિવસનું ભવ્ય આયોજન થયા બાદ આજે, સોમવારે શહેરની 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું છે. સવા 3 કિમી લાંબી આ વિસર્જન યાત્રા

By Gujaratnow
જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે મહેલની થીમ સાથે સૌરાષ્ટ્

By Gujaratnow
રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર હવે દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેશે. સોમવારે સાંજે 6 વાગ્યે, તેમણે રાજીનામા

By Gujaratnow
સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

1 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવ તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે સોનુ

By Gujaratnow