યુનિવર્સિટીમાં તમામ માટે કુરાન ફરજિયાત રહેશે

યુનિવર્સિટીમાં તમામ માટે કુરાન ફરજિયાત રહેશે

પાકિસ્તાની સરકારને દેશની આર્થિક બેહાલીથી બહાર લાવવાનો કોઇ વિકલ્પ નથી મળી રહ્યો. બીજી તરફ પાકિસ્તાન સરકાર આ મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાન સંસદે એક પ્રસ્તાવ પસાર કર્યો છે કે હવે યુનિવર્સિટીઓમાં તમામ કોર્સના વિદ્યાર્થીઓએ કુરાન અનુવાદ સાથે ભણવું પડશે. તેનો અર્થ એ છે કે પાકિસ્તાનના હિન્દુઓ અને બીજા ધર્મના વિદ્યાર્થીઓ માટે પણ કુરાન ભણવું ફરજિયાત થઇ ગયું છે.

જોકે, કુરાનના અભ્યાસ પછી કોઇએ પરીક્ષા આપવી નહીં પડે. તેના વધારાના કોઇ માર્ક્સ પણ નહીં અપાય. આ પાછળનું કારણ વિદ્યાર્થીઓ કુરાન ભણે તે જ છે.

સંસદના ઉપલા ગૃહમાં બીજો પણ એક પ્રસ્તાવ રજૂ કરાયો છે. તેમાં વિસ્તૃત જાણકારી છે કે, યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને મોહમ્મદ પયગંબર વિશે માહિતી અપાશે. આ બંને પ્રસ્તાવ જમાત એ ઇસ્લામીના સાંસદ મુશ્તાક અહેમદે રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બંને પ્રસ્તાવ બંધારણના નિયમો ધ્યાનમાં રાખીને રજૂ કરાયા છે. અમે ટ્રાન્સજેન્ડરોને લગતા પ્રસ્તાવનો વિરોધ કરીએ છીએ કારણ કે, તે કુરાન વિરુદ્ધ છે.

છઠ્ઠી જાન્યુઆરીએ જ ગૃહમંત્રી રાણા સનાઉલ્લાએ નિવેદન આપ્યું હતું કે સરકારે નક્કી કર્યું છે કે તેઓ અસલી કુરાનની કેટલીક આયાતોને ફરી કમ્પાઇલ કરાવશે. અરબી ભાષામાં લખાયેલી આ આયાતોનો અનુવાદ કરાવાશે અને પ્રતિ જિલ્લા-તાલુકા સ્તરે વહેંચવામાં આવશે. પાકિસ્તાનમાં નવા ફરમાનથી નિષ્ણાતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે કારણકે તમામ માટે કુરાન ફરિજ્યાત કરવાના આદેશ જારી કરાયા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow