પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે

પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ભાગ્યશાળી છે કે તેમને PM તરીકે મોદી મળ્યા છે. તેઓ કોઈના દબાણમાં ઝૂકતા નથી. તેમણે મોસ્કોમાં આજતક સાથેના ઈન્ટરવ્યૂમાં આ નિવેદન આપ્યું હતું.

પુતિને ભારતને એક મહાન શક્તિ ગણાવી અને કહ્યું કે ભારતની પ્રગતિ ઘણા દેશોને ખૂંચી રહી છે. તેમણે પીએમ મોદીના નેતૃત્વ, ભારત-રશિયા સંબંધો, વૈશ્વિક રાજકારણ અને યુએસ નીતિઓ વિશે ખુલ્લેઆમ વાત કરી.

જ્યારે પુતિનને પૂછવામાં આવ્યું કે શું યુએસ ટેરિફ લાદીને ભારત પર રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે પુતિને સ્પષ્ટપણે કહ્યું કે ભારત પોતાની સ્વતંત્ર નીતિનું પાલન કરે છે.

અમેરિકા પર કટાક્ષ કરતા પુતિને કહ્યું કે વોશિંગ્ટન પોતે અમારી પાસેથી પરમાણુ ઊર્જા ખરીદે છે અને પછી જ્ઞાન આપવાનો પ્રયાસ કરે છે. અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરે છે. આ એક સ્પષ્ટ બેવડું ધોરણ છે, જે વિશ્વના મુખ્ય અર્થતંત્રો હવે સમજી રહ્યા છે.

Read more

રાજકોટમાં પત્નીને છરીના 5 ઘા મારનાર પતિ ઝડપાયો

રાજકોટમાં પત્નીને છરીના 5 ઘા મારનાર પતિ ઝડપાયો

રાજકોટમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. શહેરમાં વધુ એક સંબંધોની હત્યાનો બનાવ સામે આવ્યો છે. રવિવારે શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમા

By Gujaratnow
રાજકુમાર જાટ મોત કેસમાં 11 ડિસે.એ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ

રાજકુમાર જાટ મોત કેસમાં 11 ડિસે.એ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ

ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિ

By Gujaratnow
સુરતમાં દિલ્હી-મુંબઈ જેવો ટ્રાફિકજામ, મેટ્રો અને રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટના કારણે 5 KMના રોડ પર વાહનોના થપ્પા

સુરતમાં દિલ્હી-મુંબઈ જેવો ટ્રાફિકજામ, મેટ્રો અને રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટના કારણે 5 KMના રોડ પર વાહનોના થપ્પા

સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું છે પણ છેલ્લા એક-બે વર્ષથી જે રીતે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, તેના પગલે ટ્રાફિક સિટી

By Gujaratnow