પુષ્ય નક્ષત્ર અને મંગળવાના યોગમાં હનુમાનજી સાથે જ મંગળદેવની પૂજા કરો

પુષ્ય નક્ષત્ર અને મંગળવાના યોગમાં હનુમાનજી સાથે જ મંગળદેવની પૂજા કરો

18 ઓક્ટોબરના રોજ મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો યોગ હોવાથી મંગળ પુષ્ય રહેશે. આ ખરીદીનો શુભયોગ છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અક્ષય પુણ્ય આપનારી માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મંગળ પુષ્યના દિવસે મંગળ ગ્રહ માટે ખાસ પૂજા કરવી જોઈએ. દર મંગળવારે મંગળના જન્મ સ્થાન ઉજ્જૈનમાં મંગલનાથ મંદિર અને અંગારેશ્વર મહાદેવ મંદિરમાં અનેક ભક્તો મંગળદેવની પૂજા કરવા પહોંચે છે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહને લગતા દોષ છે, તેમના માટે આ એક શુભ અવસર છે.

શિવલિંગ સ્વરૂપમાં મંગળની પૂજા કરવામાં આવે છે.

મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. મંગળ ગ્રહને લાલ વસ્તુઓ ખાસ ચઢાવવામાં આવે છે- જેમ કે, લાલ વસ્ત્ર, લાલ ગુલાલ, લાલ ફૂલ, લાલ મસૂર વગેરે. આ ગ્રહની પૂજામાં મંગળના મંત્ર ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

જ્યોતિષમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવ્યાં છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. કુંડળીમાં આ ગ્રહની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સાહસની ઉણપ રહે છે. આ સિવાય પારિવારિક સંબંધોમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મંગળ પુષ્યના દિવસે કરવામાં આવતી મંગળ પૂજાથી આ સમસ્યાઓની અસર ઓછી થાય છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow