રાજકોટમાં રખડતા ઢોર છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવા દરખાસ્ત

રાજકોટમાં રખડતા ઢોર છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવા દરખાસ્ત

રાજકોટ મનપા કચેરીએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનાર છે. જેમાં રખડતા ઢોરનાં ત્રાસ અંગે મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. આ સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્ત મુજબ રખડતા ઢોર પકડાયા બાદ તેને છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવામાં આવશે. તેમજ ઢોરની પરમીટ લેવી ફરજિયાત કરાશે. જેમાં ધંધાદારી લોકો માટે લાયસન્સ ફી અને વ્યક્તિગત માલિક માટે પણ અલગ ફી નિર્ધારીત કરવામાં આવી છે. દરખાસ્ત મંજુર થાય તો અમુક વિસ્તારો રખડતા ઢોરનાં ત્રાસથી મહદઅંશે મુક્ત થશે. શહેરમાં અન્ય મહાનગરોની જેમ ‘નો-કેટલ ઝોન’ બનાવવામાં આવશે. એટલે કે સરકારની પરવાનગીથી મહાપાલિકા જે વિસ્તારને નો-કેટલ ઝોનમાં મુકે તે વિસ્તારમાં ઢોર રાખવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત પણ વોર્ડ નં.3માં નવો ગાર્ડન, પાઇપ વિભાગ માટે નવા સાધનો ખરીદવા, જુના વાહનોના ભંગારમાં વેંચાણ, આંગણવાડી, પેવિંગ બ્લોક, મેટલીંગ સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow