રાજકોટમાં રખડતા ઢોર છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવા દરખાસ્ત

રાજકોટમાં રખડતા ઢોર છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવા દરખાસ્ત

રાજકોટ મનપા કચેરીએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનાર છે. જેમાં રખડતા ઢોરનાં ત્રાસ અંગે મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. આ સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્ત મુજબ રખડતા ઢોર પકડાયા બાદ તેને છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવામાં આવશે. તેમજ ઢોરની પરમીટ લેવી ફરજિયાત કરાશે. જેમાં ધંધાદારી લોકો માટે લાયસન્સ ફી અને વ્યક્તિગત માલિક માટે પણ અલગ ફી નિર્ધારીત કરવામાં આવી છે. દરખાસ્ત મંજુર થાય તો અમુક વિસ્તારો રખડતા ઢોરનાં ત્રાસથી મહદઅંશે મુક્ત થશે. શહેરમાં અન્ય મહાનગરોની જેમ ‘નો-કેટલ ઝોન’ બનાવવામાં આવશે. એટલે કે સરકારની પરવાનગીથી મહાપાલિકા જે વિસ્તારને નો-કેટલ ઝોનમાં મુકે તે વિસ્તારમાં ઢોર રાખવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત પણ વોર્ડ નં.3માં નવો ગાર્ડન, પાઇપ વિભાગ માટે નવા સાધનો ખરીદવા, જુના વાહનોના ભંગારમાં વેંચાણ, આંગણવાડી, પેવિંગ બ્લોક, મેટલીંગ સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow