શેરબજારમાં ટ્રેડિંગનો સમય પાંચ વાગ્યા સુધી લંબાવવાનો પ્રસ્તાવ

શેરબજારમાં ટ્રેડિંગનો સમય પાંચ વાગ્યા સુધી લંબાવવાનો પ્રસ્તાવ

શેરબજારમાં ટ્રેડિંગનો સમય લંબાવવાની ચર્ચા ફરીએકવાર શરૂ થઈ છે. માર્કેટમાં ટ્રેડિંગનો સમય હાલ 3.30 વાગ્યાથી લંબાવીને 5 વાગ્યા સુધીનો કરવાનો પ્રસ્તાવ છે. સેબીએ 2018માં સમયમાં ફેરફારની રૂપરેખા તૈયાર કરી હતી. જેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. હાલ શેરબજાર સવારે 9.15 વાગ્યે ખૂલે છે અને બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડિંગ કરી શકાય છે. અહેવાલ અનુસાર સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગનો સમય લંબાવવાની તૈયારી થઈ રહી છે.

નિષ્ણાતોએ મંગળવારે જણાવ્યું હતું કે ટ્રેડિંગનો સમય લંબાવવાથી વૈશ્વિક માર્કેટની અનિશ્ચિતતાઓને કારણે ઉદભવતા જોખમ સામે રક્ષણ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે શેરબજારના સમયમાં વધારો કરવા અંગે અગાઉ પણ ચર્ચાવિચારણા થઈ હતી. જિયોજીત ફાયનાન્સિયલ સર્વિસિસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ.બાલાક્રિશ્નને જણાવ્યું હતું કે અમેરિકા તથા યુરોપ જેવા દેશોના માર્કેટની ઊથલપાથળની ભારતીય બજારોમાં પ્રતિક્રિયા જોવા મળે છે. તેથી ટ્રેડિંગનો લાંબો સમયગાળો ધરાવતા માર્કેટ આ પ્રકારની ઊથલપાથલોની અસરને ખાળી શકે છે.

ફાયર્સના સહ સ્થાપક તેજસ ખોદાયે પણ સમય લંબાવવાની તરફેણ કરતા કહ્યું હતું કે વૈશ્વિક બજારોના ઑવરનાઇટ રીસ્ક સામે સુરક્ષા માટે આ જરૂરી છે. ગત જાન્યુઆરીમાં સેબીએ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર) જારી કરીને જણાવ્યું હતું કે જો માર્કેટમાં કોઈ કારણોસર ટ્રેડિંગમાં અવરોધ સર્જાય તો માર્કેટે ટ્રેડિંગ મેમ્બર્સને 15 મિનિટમાં જાણકારી આપવાની રહેશે. એસઓપીમાં એમપણ જણાવાયું હતું કે જો બજાર બંધ થયાના એક કલાક પહેલા ટ્રેડિંગ સામાન્ય ન થાય તો એક્ચચેન્જો ટ્રેડિંગના સમયમાં દોઢ કલાકનો વધારો કરી શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow