શેરબજારમાં ટ્રેડિંગનો સમય પાંચ વાગ્યા સુધી લંબાવવાનો પ્રસ્તાવ

શેરબજારમાં ટ્રેડિંગનો સમય પાંચ વાગ્યા સુધી લંબાવવાનો પ્રસ્તાવ

શેરબજારમાં ટ્રેડિંગનો સમય લંબાવવાની ચર્ચા ફરીએકવાર શરૂ થઈ છે. માર્કેટમાં ટ્રેડિંગનો સમય હાલ 3.30 વાગ્યાથી લંબાવીને 5 વાગ્યા સુધીનો કરવાનો પ્રસ્તાવ છે. સેબીએ 2018માં સમયમાં ફેરફારની રૂપરેખા તૈયાર કરી હતી. જેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. હાલ શેરબજાર સવારે 9.15 વાગ્યે ખૂલે છે અને બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડિંગ કરી શકાય છે. અહેવાલ અનુસાર સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગનો સમય લંબાવવાની તૈયારી થઈ રહી છે.

નિષ્ણાતોએ મંગળવારે જણાવ્યું હતું કે ટ્રેડિંગનો સમય લંબાવવાથી વૈશ્વિક માર્કેટની અનિશ્ચિતતાઓને કારણે ઉદભવતા જોખમ સામે રક્ષણ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે શેરબજારના સમયમાં વધારો કરવા અંગે અગાઉ પણ ચર્ચાવિચારણા થઈ હતી. જિયોજીત ફાયનાન્સિયલ સર્વિસિસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ.બાલાક્રિશ્નને જણાવ્યું હતું કે અમેરિકા તથા યુરોપ જેવા દેશોના માર્કેટની ઊથલપાથળની ભારતીય બજારોમાં પ્રતિક્રિયા જોવા મળે છે. તેથી ટ્રેડિંગનો લાંબો સમયગાળો ધરાવતા માર્કેટ આ પ્રકારની ઊથલપાથલોની અસરને ખાળી શકે છે.

ફાયર્સના સહ સ્થાપક તેજસ ખોદાયે પણ સમય લંબાવવાની તરફેણ કરતા કહ્યું હતું કે વૈશ્વિક બજારોના ઑવરનાઇટ રીસ્ક સામે સુરક્ષા માટે આ જરૂરી છે. ગત જાન્યુઆરીમાં સેબીએ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર) જારી કરીને જણાવ્યું હતું કે જો માર્કેટમાં કોઈ કારણોસર ટ્રેડિંગમાં અવરોધ સર્જાય તો માર્કેટે ટ્રેડિંગ મેમ્બર્સને 15 મિનિટમાં જાણકારી આપવાની રહેશે. એસઓપીમાં એમપણ જણાવાયું હતું કે જો બજાર બંધ થયાના એક કલાક પહેલા ટ્રેડિંગ સામાન્ય ન થાય તો એક્ચચેન્જો ટ્રેડિંગના સમયમાં દોઢ કલાકનો વધારો કરી શકે છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow