આ વર્ષે ‘અલ-નીનો’ની સંભાવનાથી સમગ્ર દેશમાં દુકાળનો ખતરો: રિપોર્ટ

આ વર્ષે ‘અલ-નીનો’ની સંભાવનાથી સમગ્ર દેશમાં દુકાળનો ખતરો: રિપોર્ટ

સતત ત્રણ વર્ષ સાનુકૂળ ચોમાસા બાદ હવે ‘લા-નીના’ વિદાય લઇ રહ્યું છે. આગામી ત્રણ મહિના મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય એપ્રિલ વચ્ચે એનસો-ન્યૂટ્રલ સ્થિતિ રહેવાની સંભાવના છે. અમેરિકા સ્થિત એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના તાજેતરના પૂર્વાનુમાન અનુસાર મેથી જુલાઇની વચ્ચે ‘અલ-નીનો’ની અસર દેખાઇ શકે છે. આ એ સમય છે, જ્યારે ચોમાસુ શરૂ થાય છે. જૂનથી સપ્ટેમ્બરનો ગાળો ચોમાસુ ગણાય છે.

ખાનગી એજન્સીઓના નિષ્ણાતોના મતે, ભારતમાં ચોમાસાને લઇને તે નકારાત્મક સમાચાર હોઇ શકે છે કારણ કે અલ-નીનોના વર્ષમાં દુકાળ પડવાની આશંકા 60 ટકા હોય છે, જ્યારે સામાન્યથી ઓછા વરસાદની સંભાવના 30 ટકા અને સામાન્ય વરસાદની સંભાવના માત્ર 10 ટકા હોય છે. અલ નીનો એ સ્થિતિ છે જ્યારે પેસિફિક સમુદ્રમાં સમુદ્રી સપાટી ગરમ થઇ જાય છે. છેલ્લા 26 વર્ષમાં પાંચ વાર અલ નીનોની ઇફેક્ટ દેખાઇ છે. તેમાં ચાર વાર દુષ્કાળ પડ્યો હતો.


સ્કાયમેટ વેધર એજન્સીના અધ્યક્ષ જી.પી. શર્માએ કહ્યું કે હવે અલ નીનો ઇફેક્ટનું આગામી 9 મહિના માટેનું પૂર્વાનુમાન ઉપલબ્ધ છે. પરંતુ પૂર્વાનુમાનના ચાર મહિનાથી વધુની ચોક્સાઇ ઓછી હોય છે. 2004, 2009, 2014 અને 2018નું પૂર્વાનુમાન પણ 2023ની માફક જ હતું. તે દરેક વર્ષોમાં દેશને દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. આંકડા અનુસાર 1950થી અત્યાર સુધી ટ્રિપલ લા નીના ઇફેક્ટ માત્ર બે વાર જ જોવા મળી છે. તે વર્ષ 1973-1976 અને 1998-2001 વચ્ચે જ થયું હતું. સૌથી લાંબી અવધિનું લા-નીના 37 મહિનાનું હતું અને તે વર્ષ 1937-1976 સુધી હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow